પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવી શકશે
ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક સરકારી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને તેના નેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ગ્રામજનોને પણ પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.
વધુમાં આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવવાના બાકી હોય તેમણે પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી વહેલી તકે આ બંને કાર્ડ કઢાવી લે તેવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઓફિસર ડો. સી.એલ. વારેવડીયા તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો. ડી.એસ. પાંચોટિયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિલકત વેરા શાખાના કર્મચારીઓ એ વોટ બજવણી અને સીલિંગ કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા...
મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-4 આવેલ ભડિયાદ વિસ્તારમાં નાયબકમિશનરએ સાઇટ વિઝિટ કરી આ વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જેમાં સો-ઓરડી મેઇન રોડ, ચામુંડા નગર થી ઉમિયા નગર મેઇન રોડ, માળીયા વનાડીયા, સહિતના વિસ્તારોમાં કામ કરતાં સફાઇ કામદારોની નાયબ કમિશનર પ્રોજેક્ટ સંજયકુમાર સોની દ્વારા સાઇટ વિઝિટ કરી આ...
મોરબી શહેરમાં ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના કાંતિલાલ બાબર વાય મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમા ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને...