મોરબી: આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં એક સકારાત્મક પરિવર્તન આવે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયા ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તેમજ પ્રાકૃતિક કૃષિમાં પોતે કરેલા જાત અનુભવોથી થયેલ ફાયદાઓ ખેડૂતોને જણાવી માહિતગાર કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો આશય મિલેટનો ઉપયોગ જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતોને આહવાન કર્યુ હતુ.
આ કર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ વિશેની વિસ્તૃત જાણકારી આપી, તેના ફાયદાઓ અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે ખેડૂતોને જાણકારી પૂરી પાડી હતી. તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો, ખેડૂત ભાઈ-બહેનો, વગેરે માટે મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, ઇફકો, જી.એ.ટી.એલ. તથા જી.એન.એફ.સી. કંપનીના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. જેથી ખેડૂતોને સરકારની લાભકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટો વિશે માહિતી મળી રહે.
આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઇ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સદસ્યઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણ, રાજુભાઈ પરમાર, ડો. એલ. એલ. જીવાણી, ડી.એ. સરડવા, હેતલબેન મણવર, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક, એ.એલ. કોરડીયા. મદદનીશ ખેતી નિયામક, પીઠાભાઇ ડાંગર, તાલુકા વિકાસ અધિકારી, અતુલભાઈ ચાવડા વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક અને બહોળી માત્રામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...