મોરબી: અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો જે નિર્ધાર મુજબ આજે અજય લોરિયા દ્વારા ૧૬ શહીદ પરિવારો અને બે ગૌશાળા તેમજ અનાથ આશ્રમમાં રકમ અર્પણ કરવામાં આવી હતી.
પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ માં ૩૪.૮૦ લાખનો નફો થયો હોય જે રકમમાંથી ૧૬ શહીદ જવાનોના પરિવારને સન્માનિત કરીને ૧૯,૫૦ લાખ રૂપિયા તેમજ માધવ ગૌશાળા રવાપરને રૂ ૧૧,૧૧,૧૧૧ તેમજ યદુનંદન ગૌશાળાને ૧,૧૧,૧૧૧ તથા ૧,૧૧,૧૧૧ અનાથ આશ્રમને અર્પણ કરવામાં આવ્યા છે
મોરબીના લિલાપર ઘુનડા રોડ પર ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટ થી લીલાપર ગામની સીમ વચ્ચે ગાયત્રી સ્ટોન ભઈડીયાથી આગળ વાડીના રોડ પર બાઈક પર ત્રણ શખ્સો આવી કોઈ કારણસર યુવકને મારી નાખવાના ઈરાદાથી છરી વડે ઇજા કરી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લિલાપર ગામ નવા...
મોરબી: સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપાની મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ફૂડ શાખા એ લાયસન્સ અને સ્વછતા અંગેની સૂચના વેપારીઓને પાઠવી હતી. સ્વછતાનું ધોરણ ન જળવાય તેવા 15 મીઠાઇ ફરસાણ, ડેરી, હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવી હતી, તથા મોરબીની જુદી...