મોરબી: અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો જે નિર્ધાર મુજબ આજે અજય લોરિયા દ્વારા ૧૬ શહીદ પરિવારો અને બે ગૌશાળા તેમજ અનાથ આશ્રમમાં રકમ અર્પણ કરવામાં આવી હતી.
પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ માં ૩૪.૮૦ લાખનો નફો થયો હોય જે રકમમાંથી ૧૬ શહીદ જવાનોના પરિવારને સન્માનિત કરીને ૧૯,૫૦ લાખ રૂપિયા તેમજ માધવ ગૌશાળા રવાપરને રૂ ૧૧,૧૧,૧૧૧ તેમજ યદુનંદન ગૌશાળાને ૧,૧૧,૧૧૧ તથા ૧,૧૧,૧૧૧ અનાથ આશ્રમને અર્પણ કરવામાં આવ્યા છે
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...