મોરબી શહેરમાં ખાડા ટેકરા અને ધુળની ડમરીઓ ઉડાડતા રસ્તાઓમાથી ટુંક સમયમાં શહેરીજનોને મુક્તિ મળશે. મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મંજુર કરવામાં આવેલ વિવિધ 16 રોડ બનાવવાના કામનો આજથી પાલિકા દ્વારા શરુઆત કરવામાં આવશે. સાંજે બે સ્થળોએથી યોજાશે ખાતમુહૂર્ત કાર્યક્રમ.
મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કુલ રૂ.૫.૮૦ કરોડના ખર્ચે કુલ ૧૬ રોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડનુ ખાતમુહૂર્ત થય શક્યું નહીં અને રોડના કામ શરૂ થઈ શક્યા નહીં. હવે આજથી રોડનું કામ શરું કરવામાં આવશે જેમાં શહેરમાં ૬ જુદીજુદી જગ્યાએ સી.સી.રોડના કામ અને દશ જુદીજુદી જગ્યાએ ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજે સાંજે 5 કલાકે આલાપ પાર્ક પાસે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.3.25 કરોડના ખર્ચે 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે રાત્રે 8 કલાકે નહેરુ ગેટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.2.56 કરોડના ખર્ચે 10 કામોનું ખાતમુહૂર્ત થશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...