રિયાલિટી ટીવી શો ડાન્સ દીવાને 3 ના જજ ધર્મેશ યેલાંડે તાજેતરમાં કોવિડ પોઝિટિવ નોંધાયા છે. ધર્મેશની લોકપ્રિયતા ખૂબ વધારે છે અને આ શોના ઘણા ક્રૂ મેમ્બર્સ કોવિડ પોઝિટિવ હોવાની માહિતી મળ્યા બાદ હવે ધર્મેશનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો હતો કે ડાન્સ દિવાને 3 ના જજ ધર્મેશ આગામી એપિસોડનો ભાગ નહીં બને, જોકે તેની ગેરહાજરીનું કારણ સ્પષ્ટ થયું ન હતું. થોડા સમય પહેલા જ આ શોના 18 જેટલા ક્રુ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.આ શોમાં, માધુરી દીક્ષિત, તુષાર કાલિયા, ધર્મેશ યેલાંડે એક જજની ભૂમિકામાં જોવા મળે છે. શો સાથે જોડાયેલા અન્ય લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા. જેમાંથી ધર્મેશ અને શોના પ્રોડ્યુસર અરવિંદ રાવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીબાજુ માધુરી દીક્ષિત અને હોસ્ટ રાઘવ જુયાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેશ તે સમયે ગોવામાં હતો જ્યારે તેને કોરોનાના હળવા લક્ષણો ત્યાં મહેસૂસ થયા હતા. હાલ ધર્મેશ તરફથી કોરોના પોઝિટિવ હોવા અંગેની કોઈ જાણકારી સામે આવી નથી. શોના મેકર્સએ કહ્યું કે સુરક્ષાના તમામ સેફટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. અને તે જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી છે જ્યા બધા ક્રૂ મેમ્બર એકબીજા સાથે મળતા હતા. સાથે જ કહ્યું હતું કે અમે સતત અમારા ક્રૂ મેમ્બર્સની સલામતી અને આરોગ્યની દેખરેખ રાખી રહ્યા છીએ. અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, અમે તમામ પ્રોટોકોલનું પાલન કરીશું.
ડાન્સ દીવાને 3 ના જજ ધર્મેશ કોરોના પોઝિટિવ નોંધાયા,અગાઉ 18 ક્રૂ મેમ્બર નોંધાયા હતા પોઝિટિવ, માધુરીનો રિપોર્ટ…..
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...