મોરબીના ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી ચાલતા રોડના કામ પર દબાણ દૂર કરવા તથા અનિધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા બાબતે અવની ચોકડી તથા આસપાસની સોસાયટીના રહીશો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબીની અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલીકા વિસ્તારનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના ૦૨ ફુટના ઓટલા ઉપરાંત ૦૬ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા રોડની બહાર કાઢવામાં આવેલ છે, તે ઉપરાંત તે દુકાનોના ગ્રાહકોનાં વાહન પાર્કીંગ પણ ૦૬ ફુટના ઓટલાથી આગળ ૦૪ ફુટ સુધી કરવામા આવતુ હોવાથી રાહદારી રસ્તો એકદમ સાકડો બની જતો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે સાકડા રસ્તા ઉપરથી પસાર થવુ પડે છે. આ ગેરકાયદે દબાણના કારણે અકસ્માતનાં બનાવો પણ બને છે. જેથી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને આ અનિધકૃત ઓટલા તથા છાપરા ના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે.
તેમજ અવની ચોકડી થી ચકિયા હનુમાન સાઈડ પર અમુક જગ્યાના દબાણના કારણે રોડને ૨૫ ફૂટની જગ્યા મળતી નથી ખરેખર રોડ ૩૩ ફૂટ રોડ ખુલ્લો કરાવવા માટે પાલિકામાં અવાર- નવાર મૌખિક રજુઆતો તેમજ તારીખ ૦૧/૦૨/૨૦૨૪ તથા તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ લેખિત અરજીઓ કરેલ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી વહેલી તકે આ દબાણો દૂર કરવા અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...