હળવદના રાયધરા ગામે નોકરી કરતા એક શિક્ષક દંપતી એ પોતાની દીકરી ના જન્મદિવસ ને લઈને પોતાની શાળામાં આપ્યું અંદાજિત 200000 જેટલું દાન
આજના આ ટેક્નિકલ યુગ માં અમીરના બાળકોમાં જ ટેક્નોલોજી વારુ શિક્ષણ મળતું હોય છે એવા સમયે જીગર ભાઈ અને એમના ધર્મપત્ની ના ગરીબ બાળકો પ્રત્યેની લાગણી જોઈને તેમને ધન્યવાદ આપવાનું મન થાય તેવું કામ કર્યું છે
તેમની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે સરકાર શ્રી દ્વારા ધોરણ 7&8 માં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટ થી શિક્ષણ આપાય છે પણ જો આ જ શિક્ષણ પાયામાંથી આ બાળકોને મળે તો તેમાં વધારે સફળતા મળે બસ આ જ વિચારથી લઇ તેઓએ નિર્યણ કર્યો અને નીચેના વર્ગો માં આ સ્માર્ટ વર્ક મળે તે માટે સ્માર્ટકલાસ નું દાન આપવાનું વિચાર્યું અને આજે શ્રી રાયધરા પ્રાથમિક શાળામાં આ શિક્ષક દંપતિ દ્વારા અંદાજિત 200000 રૂપિયા જેટલું આર્થિક સહયોગનું દાન આપી બાળકોને આ સ્માર્ટકલાસ નું દાન કરવામાં આવ્યું હતું અને દીકરી કાયરા ના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરી હતી
રવી પરીખ હળવદ
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...