ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ, લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી મહિલા મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું.ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડીયુ હતું
હળવદ રઘુવંશી મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથા પારાયણનું આયોજન ૨૪/૪ થી ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. વક્તા વ્રજ નિવાસી શ્રી કનૈયાલાલ શાસ્ત્રીજી દ્વારા કથાનું સંગીત મયશૈલી માં અમુતપાન કરાવવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રોજ સત્સંગ ભજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં રઘુવંશી મહિલા મંડળની બહેનો તથા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથાને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળની બહેનોએ દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભક્તિ ભજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...