માળિયા તાલુકા ના રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઈ બાવરવા અને દિપકભાઈ બાવરવા નાં ખેતર ઊપરથી પીજીવીસીએલ ની વિજ લાઇન નિકળતી હોય અકસ્માતે વિજ વાયર માં શોર્ટ સર્કિટ થવા થી આગ લાગતાં ખેતરમાં રહેલો ઊભો પાક બળી ને ખાખ થઈ ગયો હોય અને લાખો રૂપિયા ની નુકશાની થતાં
આ બાબતે પીજીવીસીએલ દફતરે ફરીયાદ કરતાં કોય સંતોષકારક જવાબ ના મળતાં આ બાબતે જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન નાં મુખ્યા અજય ભાઈ લોરીયા મળી સઘણી હકીકત જણાવતાં અજય ભાઈ લોરીયા એ પોતાના ટ્રસ્ટ માંથી બન્ને ખેડુતો નેં 25.25 હજાર રૂપિયા ની આર્થિક સહાય કરી ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માળિયા તાલુકા નાં પ્રમુખ મણિલાલ સરડવા મહામંત્રી મનિષ કાંજીયા અને ખીરઇ ગામનાં સરપંચ નિલેશભાઈ સંઘાણી તેમજ ભારદ્વાજ ભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...