Thursday, April 18, 2024

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું મોટું નિવેદન, કહ્યું – નિયમો સ્વીકારશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દેશમાં કાર્યરત તમામ વિદેશી ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ સાથે, આ મામલે ફેસબુકનું મોટું નિવેદન બહાર આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે તે આઇટી નિયમોની જોગવાઈઓનું પાલન કરશે અને કેટલાક મુદ્દાઓ વાટાઘાટો હેઠળ છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ મીડિયા વિશાળ કંપની ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમારો હેતુ આઇટી નિયમોની જોગવાઈઓનું પાલન કરવાનું છે અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ચાલુ રાખવાનું છે જેની સાથે સરકાર સાથે વાત કરવાની જરૂર છે. અમે આઇટી નિયમોની જોગવાઈઓનું પાલન કરવાનું અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ચાલુ રાખવાનું લક્ષ્ય રાખીએ છીએ જેને સરકાર સાથે વધુ જોડાણની જરૂર છે. આઇટી નિયમોને અનુલક્ષીને, અમે ઓપરેશનલ પ્રક્રિયાઓ લાગુ કરવા અને કાર્યક્ષમતા સુધારવા માટે કામ કરી રહ્યા છીએ: ફેસબુકના પ્રવક્તા

મહત્વનું છે કે, ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને અમુક નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. આ માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો, જેનો સમયગાળો 26 મે, એટલે કે આવતીકાલે પૂર્ણ થવાનો છે. આ કંપનીઓએ હજુ સુધી કેન્દ્રના નિયમોનું પાલન કર્યું નથી, જેના કારણે તેમની સેવાઓ દેશમાં બંધ રહેવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

સરકારે સોશિયલ મીડિયા માટે આ ગાઈડલાઇન જાહેર કરી છે જેમાં….

# તમામ સોશિયલ મીડિયા ભારતમાં પોતાના 3 અધિકારીઓએ, ચીફ કોમ્પ્લિયાંસ અધિકારી, નોડલ અધિકારી અને રેસિડેન્ટ ગ્રેવાંસ અધિકારીની નિમણૂંક કરે. તેઓ ભારતમાં જ રહેતા હોય. તેમના કોન્ટેક્ટ નંબર એપ અને વેબસાઇટ પર જાહેર કરવામાં આવે.

# આ પ્લેટફોર્મ તે પણ જણાવે કે ફરિયાદ દાખલ કરવાની વ્યવસ્થા શું છે. અધિકારી ફરિયાદ બાબતે 24 કલાકની અંદર અધ્યાન આપે અને 15 દિવસની અંદર ફરિયાદ કરનારને જણાવે કે તેમની ફરિયાદ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે અને જો કાર્યવાહી નથી થઈ તો કેમ નથી કરવામાં આવી.

# ઓટોમેટેડ ટૂલ્સ અને ટેકનોલોજી દ્વારા એવી સિસ્ટન બનાવે, જેના દ્વારા બળાત્કાર, બાલ યૌન શોષણના કન્ટેન્ટની ઓળખ કરો. આ ઉપરાંત આ બાબતે એવી ઈન્ફર્મેશનને પણ જાણવી, જે પહેલા પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી હોય. આ ટુલ્સના કામ કરવાનું રિવ્યૂ કરવા અને તેના પર નજર રાખવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ હોય.

# પ્લેટફોર્મ એક મંથલી રિપોર્ટ જાહેર કરે. તેમાં મહીનામાં નોંધાયેલી ફરિયાદો, તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી હોય. જે લિન્ક અને કન્ટેન્ટ દૂર કરવામાં આવેલ હોય, તેની જાણકારી પણ આપવામાં આવેલી હોય.

# જો પ્લેટફોર્મ કોઈ આપત્તિજનક માહિતીને દૂર કરે છે તો તેને પહેલા ટે કન્ટેન્ટને બનાવનાર, અપલોડ કરનાર કે શેર કરનાર લોકોને તેની જાણકારી આપવી જોઈએ. તેનું કારણ પણ જણાવવું પડશે. યુઝરને પ્લેટફોર્મની કાર્યવાહી સામે અપીલ કરવાની પણ તક આપવામાં આવે. આ વિવાદના ઉકેલ માટે મેકેનિજ્મ પર ગ્રેવાંસ અધિકારી નજર રાખે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર