રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં “લવ રાજકોટ” સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે. રંગીલા રાજકોટ નવી રંગીલી ભેટ મળી. રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલા આ બ્રિજના નિર્માણથી લોકોને ઘણો ફાયદો થશે તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. સાથે જ વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આ બ્રિજને સુંદર રીતે સજ્જ કરવામાં આવ્યો હતો. આથી તેને જોવા માટે રાજકોટ વાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી. આ સાથે જ કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કર્યું. અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રિજ સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલાં 56.58 કરોડના 416 આવાસોનો CMના હસ્તે કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ CM રૂપાણીના હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રાજકોટમાં CMના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે જ જાણો 489.50 કરોડનાં ક્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ?
વધુ જુઓ
જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે બેટરી ટેસ્ટનું આયોજન
મોરબી: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત આયોજિત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા.૩૦/૦૩/૨૦૨૪ થી તા.૦૨/૦૪/૨૦૨૪ સુધી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન થનાર છે. જેમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટમાં ખેલ મહાકુંભ-૨.૦ અંતર્ગત તાલુકા કક્ષા સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડીઓ અને...
મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા ધો – 6 થી 11 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન
મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા શૈક્ષણિક વર્ષ 2024/25 માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન કરેલ છે જેમાં ધોરણ 6 થી 11 સુધીના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે આ પરીક્ષા OMR પધ્ધતિથી લેવામાં આવશે.વિદ્યાર્થીને અનુકૂળ રહે તે માટે સ્કોલરશીપ પરીક્ષા ચાર અલગ અલગ તારીખે ગોઠવેલ છે વિદ્યાર્થી કોઈ પણ એક તારીખે આ પરીક્ષા આપી...
ટંકારાના ભૂતકોટડા પ્રા.શાળામાં તૈયાર થયું સ્પેરો હાઈટ્સ
ટંકારા: 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે તારો વૈભવ રંગ મહેલ ને નોકર ચાકર નું ધાડું, મારે આંગણ ચકલી આવે તે જ મારું રજવાડું. તે સંદર્ભે ભૂત કોટડા પ્રા.શાળામાં 5 માળનું અનોખું ચકલી હાઉસ બનાવવામાં આવ્યું.
એક સમય હતો...