Thursday, April 25, 2024

આઝાદીનો અમૃત મહોત્સવ: જાણો પીએમ મોદીએ આ પર્વ વિશે શું કહ્યું ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના અમદાવાદમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી હતી. ઉજવણીના આ કાર્યક્રમનું નામ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ રાખવામાં આવ્યું છે. દેશની આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાતા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત સાત સ્થળોએ ડિજિટલ પ્રદર્શનોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ અમદાવાદના ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે દાંડીયાત્રાને પણ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.પીએમ મોદીએ સંબોધન પણ કર્યું હતું.​​ સાબરમતી આશ્રમથી 81 મુસાફરો રવાના થયા હતા. આ દાંડી કૂચમાં દેશના વિવિધ રાજ્યોના વિવિધ ગાંધીવાદી સંગઠન સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરોએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશ ઇતિહાસના આ મહિમાને બચાવવા માટે છેલ્લા 6 વર્ષથી સઘન પ્રયાસો કરી રહ્યો છે દરેક રાજ્યો અને ક્ષેત્રમાં આ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશએ દાંડીયાત્રા સાથે સંકળાયેલ સ્થળનું પુનરોદ્ધાર બે વર્ષ અગાઉ પૂર્ણ કર્યો હતો. તેઓએ વધુમાં કહ્યું કે મને ખુદ આ પ્રસંગે દાંડીની મુલાકાત લેવાની તક મળી. પીએમ મોદીએ કહ્યું કે,’ આજે પણ ભારતની સિધ્ધિઓ ફક્ત આપણી જ નથી, પરંતુ તે સમગ્ર વિશ્વને રોશની દેખાડનારી છે, પુરી માનવતાવાદને આશા આપે છે. ભારતની આત્મનિર્ભરતાથી ભરેલી આપણી વિકાસ યાત્રા સમગ્ર વિશ્વની વિકાસયાત્રાને ગતિશીલ બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના યુગમાં આ આપણી સમક્ષ સીધું સાબિત પણ થઈ રહ્યું છે. આજે, સમગ્ર વિશ્વ, રસી ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતાનો લાભ લઈ રહ્યો છે, પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વના દેશો ભારત પર વિશ્વાસ કરી રહ્યા છે, આ નવા ભારતના સૂર્યોદયની પહેલી ક્ષણ છે. આ આપણા ભવ્ય ભાવિની પ્રથમ આભા છે.’

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર