દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. દરરોજ બે લાખથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે. જેમ જેમ કોરોના સંક્રમણનો રાફડો વધતો ગયો તેમ તેમ દેશની હોસ્પિટલોની હાલત કથળતી ગઈ. દેશમાં વેન્ટિલેટર, રેમડેસિવિર અને ઓક્સિજનની અછત વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કુંભ મેળા અંગે મૌન તોડ્યું છે. વડા પ્રધાન મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી સાથે ફોન પર વાત કરી કુંભ મેળાને સમાપ્ત કરવા અપીલ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પીએમ મોદીએ સંતોને કુંભ મેળાને સમાપ્ત કરવા અપીલ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું હતુ કે, “મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થયા છે અને હવે કુંભને કોરોના સંકટને કારણે પ્રતીકાત્મક રાખવું જોઈએ.” તેનાથી આ કટોકટી સામેની લડતને શક્તિ મળશે. ‘ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ લોકોને અપીલ કરી હતી કે કુંભ સ્નાન માટે વિશાળ જનમેદની એકઠી ન થાય. સ્વામી અવધેશાનંદ ગિરીએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે આપણે માનનીય વડા પ્રધાનના આહવાનનું સન્માન કરીએ છીએ! જીવન બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારો ધર્મ પરાયણ લોકોને આગ્રહ છે કે આ કોવિડ મહામારીના સંજોગોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યા માં સ્નાન માટે ન આવે અને નિયમનું પાલન કરે. કોરોનાના વધતા જતા કેસોને જોતા નિરંજની અખાડાએ 15 દિવસ અગાઉ જ કુંભ મેળો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ અખાડાના 17 સંતો સંક્રમિત થયા છે. અખાડાના સેક્રેટરી રવિન્દ્ર પુરી પોતે સંક્રમિત છે. અત્યાર સુધીમાં, કુંભ મેળામાં સામેલ 70 થી વધુ સંતો કોરોના સંક્રમિત નોંધાયા છે. મોટી સંખ્યામાં સંતોનું કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે. બે દિવસ પહેલા અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અઘાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસ (65 વર્ષ) નું પણ અવસાન થયું હતું.
અપીલ: પીએમ મોદીએ કુંભમાં કોરોના અંગે મૌન તોડ્યું, સંત અવધેશાનંદ ગિરીને કહ્યું……
વધુ જુઓ
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા
લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.
તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે...
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો કડાકો
1500 પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ 52,850ની સપાટી પર
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળાને કારણે શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 140...
આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ,ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ
પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ)ની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પણ પડી છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરને પાર પહોંચી ગઈ છે. આ છેલ્લા સાત વર્ષમાં સૌથી...