Thursday, March 28, 2024

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના-પોઝિટિવ,CMના સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા,ભીખુ દલસાણિયા પણ કોરોનાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે. વડોદરામાં ચૂંટણી સભામાં ચક્કર આવી ગયા બાદ તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમનું ઓક્સિજન લેવલ સામાન્ય છે અને અન્ય ટેસ્ટ પણ નોર્મલ આવ્યા છે. CM વિજય રૂપાણી રવિવારે મોડી રાત્રે વડોદરામાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ અચાનક શારીરિક થાક, નબળાઇ અને લો બ્લડ પ્રેસરના કારણે અચાનક સ્ટેજ પર પડી ગયા હતા.

મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબીયફ સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે.અમિત શાહએ ચિંતા વ્યક્ત કરી અને ટ્વિટ કરી ને કહ્યું,ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં.હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.

મુખ્યમંત્રીને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં બનેલા યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર ડો.આર.કે.પટેલે સોમવારે મેડિકલ બુલેટિન જારી કરતાં જણાવ્યું હતું કે સોમવારે સવારે પોઝિટિવ આવેલા મુખ્યમંત્રીની રવિવારે રાત્રે આરટી પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રવિવારે રાત્રે જ મુખ્ય પ્રધાનની 2ડી ઇકો, ઇસીજી અને સીટી સ્કેન પરીક્ષણ કરાયું હતું જે તમામ સામાન્ય થઈ ગયા છે. ડો.પટેલે માહિતી આપી હતી કે મુખ્યમંત્રી રૂપાણીને 24 કલાક સર્વેલન્સ હેઠળ રાખવામાં આવશે.

રવિવારે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. મીટિંગ દરમિયાન તેનું બ્લડ પ્રેશર અને સુગર લો થઇ ગયું હતો, જેના કારણે તે બેભાન થઈ ગયા હતો. તેની શારીરિક અશક્તિને જોઇને સુરક્ષા કર્મચારીઓએ તેમને તાત્કાલિક પકડી લીધા હતા અને સ્ટેજ પર હાજર વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડો.વિજય શાહ અને ભાજપના ઉમેદવાર ડો.રાજેશ શાહે તુરંત તેમની તપાસ કરી અને ગ્લુકોઝ ચડાવ્યું હતું.

સિટી સ્કેન અને મુખ્યમંત્રી રૂપાણીના અન્ય પરીક્ષણો યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે કરાયા હતા. ડોકટરોની પેનલ આજે મુખ્ય પ્રધાનના સ્વાસ્થ્યને લઈને મેડિકલ બુલેટિન જારી કરશે અને તેમની એન્જીયોપ્લાસ્ટી અંગે પણ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર લવ જેહાદ સામે કાયદો લાવશે. લવ જેહાદ અધિનિયમ અંગે લાંબા સમયથી ગુજરાતમાં ચર્ચાઓ અને માંગણીઓ ચાલી રહી છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવા, ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત ભાજપના ધારાસભ્ય શૈલેષ ભાઈએ સરકારને લવ જેહાદ અંગે ટૂંક સમયમાં કાયદો ઘડવાની માંગ કરી છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાગુ થયા પછી, ગુજરાતમાં ઘણી ચર્ચાઓ થઈ છે અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર દરમિયાન હવે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સત્રમાં એસેમ્બલી લવ જેહાદ પર કાયદો લાવશે.મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર