કોમેડિયન કપિલ શર્માના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની ગિનીએ આજે સવારે (1 ફેબ્રુઆરી) એક પુત્રને જન્મ આપ્યો.જેની જાણકારી કપિલ શર્માએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. કપિલ શર્માએ ટ્વિટ કરીને લખ્યું હતું કે આજે સવારે તેમના પુત્રનો જન્મ થયો છે. ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને બરાબર છે. થોડા સમય પહેલા કપિલે ગિન્ની ફરી ગર્ભવતી હોવાના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. ટ્વિટર પર # AskKapil દરમિયાન એક પ્રશંસકે હાસ્ય કલાકારને પૂછ્યું – કપિલ શર્મા સાહેબ, તમે શો કેમ બંધ કરી રહ્યા છો? જવાબમાં કપિલ શર્માએ કહ્યું, “કારણ કે મારે બીજા બાળકના આગમન સમયે મારી પત્ની સાથે રહેવું છે. જણાવી દઈએ કે કપિલ શર્મા એક પુત્રીનો પિતા છે. તેમની પુત્રીનું નામ અનયારા છે. કપિલ અનયારાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. વર્ક ફ્રન્ટ પર કપિલ શર્મા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર જોવા મળશે. આની જાહેરાત તેણે એક વીડિયો દ્વારા કરી હતી. કપિલ શર્માના શો વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે કપિલ શર્માનો કોમેડી શો બંધ થવા જઈ રહ્યો છે. જો કે, ચેનલ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી. થોડા સમય પહેલા કપિલે તેની યુટ્યુબ ચેનલ પર બિહાઇન્ડ ધ જોક્સ વિથ કપિલ નામની શ્રેણી પણ શરૂ કરી દીધી છે.અંગત જીવનમાં કપિલ અને ગિની ડિસેમ્બર 2018 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
હાસ્ય કલાકાર કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો, પત્ની ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...