વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ભારતમાં ચાલી રહેલા કોરોના રોગચાળાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં કોરોના વાયરસની નવી લહેર અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ અભિયાન અંગે પણ વાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ બેઠકમાં ભાગ લેશે નહીં. તેમની જગ્યાએ મુખ્ય સચિવ અલપન બંધ્યોપાધ્યાય પીએમ મોદી સાથે બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે છેલ્લી ચર્ચા મહામારી મુદ્દે 17 માર્ચે યોજાઈ હતી. વડા પ્રધાને કેટલાક રાજ્યોમાં વધી રહેલા કેસો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને બીજી લહેર અટકાવવા માટે ઝડપી અને નિર્ણાયક પગલા ભરવા જણાવ્યું હતું. આ અગાઉ પીએમ મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં પાંચ મુદ્દાના સૂત્ર પણ સૂચવ્યા હતા, જેમાં તપાસ, ચેપગ્રસ્ત લોકોની ઓળખ, સારવાર, કોરોના નિયમોનું કડક પાલન અને રસીકરણ આવશ્યક હતા. જણાવી દઈએ કે ત્રણ દિવસમાં આ બીજી વખત બન્યું છે, જ્યારે એક દિવસમાં કોરાના વાયરસના ચેપના એક લાખથી વધુ કેસ નોંધાયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રસીનો બીજો ડોઝ લીધો હતો. વડા પ્રધાને ખુદ ટ્વીટ કર્યું હતું કે મેં આજે દિલ્હી એઇમ્સમાં રસીનો બીજો ડોઝ લીધો. આ સાથે પીએમ મોદીએ લોકોને રસીના ડોઝ લેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે વાયરસને હરાવવા માટે રસીકરણ એ કેટલી રીતોમાંની એક રીત છે. નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 માર્ચે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)