હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સામે લડવા માટે સરકારી તંત્રએ અને સ્વયંસેવકો બધાએ કમર કસી છે ત્યારે કેટલાક અધિકારીઓ આ બધી મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છે જાણવા મળતી માહિતી મુજબ અંબાજી અને આજુબાજુના વિસ્તારમા મોટાભાગે આદિવાસી પ્રજા રહે છે ત્યારે આ વિસ્તારોમાં આવેલ સરકારી હોસ્પિટલમાં અંબાજી મંદિરના સહયોગથી 50 બેડ ની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવેલ છે અને અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડા સાહેબની અથાગ મહેનતથી 30 ઓક્સિજન વાળા બેડ બનાવવામાં આવ્યા છે અને અંબાજી મંદિર ટ્રસ્ટની ગાડીઓ દિવસ રાત ઓક્સિજન માટે દોડીને મુશ્કેલીના સમયમાં બનતી બધી જ સેવાઓ કરી છે. આવા સમયે આ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના એમડી ડોક્ટર અગમ્ય કારણોસર કોવીડ સેન્ટર ચાલુ થયું ત્યારથી જ ગેરહાજર છે આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને પૂછતા જાણવા મળેલ કે એમડી સાહેબ મેડિકલ રજા ઉપર છે ત્યારે મુખ્ય સવાલ એ છે કે જ્યારે સમગ્ર તંત્ર આ મુશ્કેલીના સમયમાં ખડે પગે સેવામાં તત્પર હોય છે ત્યારે આ બેજવાબદાર એમડી કયા કારણોસર ગેરહાજર રહ્યા. હવે જો ખરેખર તેઓ બીમાર હોઇ મેડિકલ રજા લીધેલ હોય તો જે એમડી પોતે ૨૦ દિવસથી પોતાનો ઇલાજ ન કરી શકતા હોય તો તેઓની એમડી તરીકેની લાયકાત પણ શંકાના દાયરામાં આવી જાય તેમ છે અને કદાચ આ એમડી સાહેબ પોતે કોરોનાના ડરથી રજા મૂકીને તો નથી છુપાઈ રહ્યા ? આવો પ્રશ્ન અંબાજીમાં ચર્ચાના ચકડોળે ચડેલો છે. એમડી પોતે બીમાર છે તો લોકો તેમના સારા ઇલાજની અપેક્ષા કઈ રીતે કરી શકે ? મંદિરના વહીવટદાર ચાવડા સાહેબ ખડે પગે રાત દિવસ જોયા વગર સેવા કરે છે તો અન્ય અધિકારીઓ કેમ એમનું અનુકરણ નથી કરતાં ? કોરોના કાળમાં મેડિકલ સ્ટાફની અછત છતાં અંબાજી હોસ્પિટલમાં ડોક્ટરને ફરજમાં હાજર રહેતા કયો ગ્રહ નડે છે ? આવા પ્રશ્નો ઊભા થાય છે.
અંબાજીની જનરલ હોસ્પિટલના એમ.ડી ડોક્ટર સેવાના બદલે કોરોનાના ડરથી છુપાઈને બેઠા ?
વધુ જુઓ
મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો
મોરબીની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ સંપન
મોરબી: બાળકોના જીવન ઘડતર માટેનું,બાળકોની લાઈફ સ્કિલના વિકાસ અને સંવર્ધન માટેનું કોઈ મહત્વનું સ્થળ હોય તો તે છે શાળા, એમાંય બાળક પોતાનું ઘર છોડી બહાર નીકળીને પહેલું પગલું પ્રાથમિક શાળામાં મૂકે છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રાથમિક, માધ્યમિક,...
મોરબી ગઢવી સમાજનું ગૌરવ PSI હિરેન ગઢવીનો આજે જન્મદિવસ
મોરબી: મોરબી ગઢવી સમાજનું ગૌરવ મૂળ માળિયા (મી) તાલુકાના સોખડા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિરેન નરસિંહ ગઢવીનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ હિરેન ગઢવી નાની ઉંમરમાં જ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા...
મોરબીના રંગપર ગામે કારખાનામાં શરીર પર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ કારખાનાના કાટા નજીક શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ...