અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત દેશમાં દર મહિને સરેરાશ 120 અફઘાની વિસ્ફોટકોથી મૃત્યુ પામે છે અથવા ખરાબ રીતે ઘાયલ થાય છે, જ્યાં તેમને અપંગ વ્યક્તિ તરીકે પોતાનું આખું જીવન પસાર કરવું પડે છે. અફઘાનિસ્તાનની ખાણ ક્રિયા સંકલન નિયામક (DMAC) એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અસ્પ્સ્ટીકૃત તોપખાના અને બારુદી સુરંગને કારણે દર મહિને સરેરાશ 120 લોકોના મૃત્યુ થાય છે અથવા અપંગ બને છે.” 2001માં, આ આંકડો 40 હતો, જે હવે 120 પર પહોંચી ગયો છે. એક ખાનગી ન્યુઝ એજેન્સીના જણાવ્યા અનુસાર ડીએમએસી અનુસાર, આશરે 900 અફઘાનિસ્તાની માર્યા ગયા હતા અને 2020 માં લેન્ડમાઇન્સ અને અજાણ્યા તોપખાનાના પરિણામે 1700 અન્ય ઘાયલ થયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્તારો ખાલી કરાવવાના પ્રયાસો છતાં દેશભરમાં 1,600 ચોરસ કિલોમીટર જમીન હજી ખાણો અને અજાણ્યા તોપખાનાથી ભરાઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે 37 ચોરસ કિલોમીટર જમીન સાફ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે કે તાલિબાનના આતંકવાદીઓ અને દેશના અન્ય બળવાખોર જૂથો સુરક્ષા દળોને લક્ષ્યાંક બનાવવા માટે રસ્તા પરના બોમ્બ અને લેન્ડમાઇન્સ બનાવવા માટે સ્વદેશી ઇમ્પ્રુવીઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (આઈઈડી) નો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ઘાતક હથિયારોથી પણ નાગરિકોને નુકસાન થાય છે.
અફઘાનિસ્તાનમાં વિસ્ફોટકના કારણે દર મહિને સરેરાશ આટલા લોકોના થાય છે મોત, આંકડો જોઇને થશે આશ્ચર્ય.
વધુ જુઓ
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ...
International Women’s Day (આંતરરાષ્ટ્રીય મહિલા દિન) નિમિત્તે ખાસ
ઘણીવાર એવું થાય આવો દિવસ થોડો હોઈ પછી આપણને ખબર પડે ધરે પરિસ્થિતિ એવી છે આ લોકો માટે એક દિવસ તો હોય કેમ કે સમાજના મનમાં જે છાપ હોય એ હવે નથી એ વિચારતો થાય તેના માટે નો દિવસ છે.
આજની છોકરી પોતાના ગાલ કરતા પોતાની આવતી કાલ ચમકાવવામાં રસ...
રશિયાએ યુક્રેનની રાજધાની પર કર્યો મિસાઇલથી હુમલો, ઇમારત અને રહેણાક માં ભારે નુકસાની
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. શનિવારે કીવ શહેરના દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમાં...