Friday, June 6, 2025

મોરબી : વ્યાજવટાવનો ભોગ બનનાર માટે પોલીસે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં વ્યાજ માફિયા નો પગ પેસારો ધીમે ધીમે વધી રહ્યો છે. વ્યાજવટાવ નો વ્યવસાય કરતા અમુક અવાર નવાર લોકોને દબાણ કરતા હોય છે. જેના કારણે લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા વ્યાજવટાવનો ભોગ બનનાર લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લામાં વસતા કેટલાક લોકો – ધંધાર્થીઓ પોતાની મજબૂરી ના કારણે આવા વ્યાજ માફિયાઓ પાસે થી વ્યાજ પર પૈસા લ્યે છે અને થોડો સમય ઉચું વ્યાજ આપીને પૈસા લ્યે છે પરંતુ પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી. વ્યાજવટાવના ચક્રમાં ફસાય જાય છે. ત્યારે આ વ્યાજ માફીયાઓ તેમની મજબૂરીનો લાભ ઉઠાવી હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આવા વ્યાજના ચક્રમાં ફસાયેલ લોકો માટે પોલીસ દ્વારા હેલ્પ લાઇન નંબર ” ૯૩૧૬૮૪૭૦૭૦” જાહેર કરવામાં આવ્યો છે

ઉપરાંત પોલીસ દ્વારા બેંક સિવાય કોઈ સાથે પૈસાની લેણદેણ ના કરવી તેમજ માન્યતા પ્રાપ્ત કરેલ સંસ્થાઓ સાથે જ નાણાંની લેવડ દેવડ કરવાની અપીલ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર