મોરબી જિલ્લામાં વ્યાજ માફિયા નો પગ પેસારો ધીમે ધીમે વધી રહ્યો છે. વ્યાજવટાવ નો વ્યવસાય કરતા અમુક અવાર નવાર લોકોને દબાણ કરતા હોય છે. જેના કારણે લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા વ્યાજવટાવનો ભોગ બનનાર લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લામાં વસતા કેટલાક લોકો – ધંધાર્થીઓ પોતાની મજબૂરી ના કારણે આવા વ્યાજ માફિયાઓ પાસે થી વ્યાજ પર પૈસા લ્યે છે અને થોડો સમય ઉચું વ્યાજ આપીને પૈસા લ્યે છે પરંતુ પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી. વ્યાજવટાવના ચક્રમાં ફસાય જાય છે. ત્યારે આ વ્યાજ માફીયાઓ તેમની મજબૂરીનો લાભ ઉઠાવી હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આવા વ્યાજના ચક્રમાં ફસાયેલ લોકો માટે પોલીસ દ્વારા હેલ્પ લાઇન નંબર ” ૯૩૧૬૮૪૭૦૭૦” જાહેર કરવામાં આવ્યો છે
ઉપરાંત પોલીસ દ્વારા બેંક સિવાય કોઈ સાથે પૈસાની લેણદેણ ના કરવી તેમજ માન્યતા પ્રાપ્ત કરેલ સંસ્થાઓ સાથે જ નાણાંની લેવડ દેવડ કરવાની અપીલ કરી છે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગ
મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે....