મોરબી જિલ્લામાં વ્યાજ માફિયા નો પગ પેસારો ધીમે ધીમે વધી રહ્યો છે. વ્યાજવટાવ નો વ્યવસાય કરતા અમુક અવાર નવાર લોકોને દબાણ કરતા હોય છે. જેના કારણે લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા વ્યાજવટાવનો ભોગ બનનાર લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લામાં વસતા કેટલાક લોકો – ધંધાર્થીઓ પોતાની મજબૂરી ના કારણે આવા વ્યાજ માફિયાઓ પાસે થી વ્યાજ પર પૈસા લ્યે છે અને થોડો સમય ઉચું વ્યાજ આપીને પૈસા લ્યે છે પરંતુ પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી. વ્યાજવટાવના ચક્રમાં ફસાય જાય છે. ત્યારે આ વ્યાજ માફીયાઓ તેમની મજબૂરીનો લાભ ઉઠાવી હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આવા વ્યાજના ચક્રમાં ફસાયેલ લોકો માટે પોલીસ દ્વારા હેલ્પ લાઇન નંબર ” ૯૩૧૬૮૪૭૦૭૦” જાહેર કરવામાં આવ્યો છે
ઉપરાંત પોલીસ દ્વારા બેંક સિવાય કોઈ સાથે પૈસાની લેણદેણ ના કરવી તેમજ માન્યતા પ્રાપ્ત કરેલ સંસ્થાઓ સાથે જ નાણાંની લેવડ દેવડ કરવાની અપીલ કરી છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...