ભગીરથ ફાર્મ, બામણાશા ખાતે મળેલી બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” ની વિધિવત સ્થાપના કરવામાં આવી.
ગીર સોમનાથ જિલ્લામાં જીતેન્દ્રભાઈ ચોથાણી અને રાજુભાઇ પાનેલીયા નાં વડપણ હેઠળ તમામ તાલુકા અને ગ્રામ્ય સમિતિઓ ની ટૂંક સમયમાં રચના કરવામાં આવશે તેવી આ તકે જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા પાટીદાર સમાજ નાં અનેક પ્રબુદ્ધ આગેવાનો એ હાજરી આપી હતી. મધ્ય પ્રદેશ થી પધારેલા કૂર્મી પાટીદાર સમાજ નાં આજીવન પ્રચારક રામાનુજ પટેલ દ્વારા સમાજ ની એકતા માટેની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાન તેમજ વૈવાહિક સંબંધો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રિય કૂર્મી સમાજ ના સંગઠન સંયોજક જિજ્ઞેશ પટેલ, નેશનલ કમિટી મેમ્બર ચિરાગ કાકડીયા, દર્શિત પટેલ અને ગીર સોમનાથ જિલ્લા નાં આગેવાનો દ્વારા પણ આ દિશામાં આગળ વધવા માટે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવડી રોડ ખાતે જી.એમ.ઇ.આર. એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોરબી ની બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન" ની ઉકિત ને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પ માં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ...
ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર 'નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.
દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ...