મોરબી : પશુમાં લમ્પી ડીસીઝના લક્ષણો દેખાય તો ૧૯૬૨ હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે
હાલ ચોમાસાની ઋતુમાં ગાય/ભેંસમાં નવો રોગ લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગનું પ્રમાણ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જેથી આ નવા રોગનો જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે માટે જરૂરી પગલાં લેવા આવશ્યક બની જાય છે.
આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ ત્વચાનો રોગ ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી રોગ છે જે અસર કરતા તરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.
આ રોગમાં પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
આ રોગને અટકાવવા તેમજ નિયંત્રણ માટે રોગીષ્ટ પશુઓને સૌપ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, યોગ્ય દવાઓ દ્વારા માખી મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, પ્રથમ છ મહિનાની ઉંમરે અને ત્યારબાદ દર વર્ષે રસીકરણ દ્વારા રોગ નિયંત્રણ કરવું, રસી ન મૂકેલી તેવા મોટા પશુને ગમે ત્યારે પણ રસી મુકાવવી વગેરે પગલાંઓ લેવા જરૂરી છે.
પશુમાં લમ્પી સ્કિન ડીસીઝના લક્ષણો જણાય તો તરત જ ૧૯૬૨ હેલ્પ લાઈન નંબરનો કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર તેમજ નાયબ પશુપાલન નિયામક કટારા દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરાઈ છે.અને ફોન કોલની સંખ્યા માં પણ વધારો જોવા મળ્યો છે તેવી માહિતી મળી રહી છે.
મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 14 જૂન, 2025ના રોજ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય માટે દત્તક લેવાઈ છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ યુવતીઓને માસિક ધર્મ દરમિયાન જરૂરી આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓ પ્રાપ્ત થાય એ છે, જેથી તેઓ પોતાની સ્કૂલની હાજરી...
એક ૭૦ વર્ષના માજી ને ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલ માં લાવવા માં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડો સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે માજીને છાતીમાં દુઃખાવો,ગભરામણ,તાવ અને શ્વાસ લેવા માં તકલીફ જેવી તકલીફો હતી, ત્યાં માજી નું ઓક્સીજન લેવલ તપાસ કરતા જણાયું કે ઓક્સીજન નું લેવલ ઓછુ (૭૦%) છે,ઓક્સીજન...
મોરબી જીલ્લાના પુરવઠાના ગોડાઉનોમા ઘઉં તથા ચોખાનો જથ્થો તથા મજુરોની વ્યવસ્થા પુરી કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના નાયબ જીલ્લા મેનેજર તથા મોરબી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આશીયાના કોટન વર્કસને જાણ કરતા આશીયાના કોટન વર્કસના પ્રતિનીધીને સારૂ ન લાગતા આરોપીએ નાગરિક પુરવઠા નિગમ લિ.ના મેનેજરને ફોન પર ગાળો...