મોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર નાના- મોટા અકસ્માત થતા હોય છે ત્યારે ફરી એકવાર મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા પાસે કાર અક્સમાત સર્જાયો હતી જેમાં 2 યુવાનના મોત થયા હતા જયારે 2 યુવાનને ઈજા પહોચી હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ થી મોરબી તરફ બુઘવારે વહેલી સવારે આવી રહેલી જીજે 3ઈ આર 4200 નંબરની સ્વીફ્ટ કાર મીતાણા પાસે અચાનક બેકાબુ બની હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનામાં કારમાં સવાર 4 યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત યુવાનો પૈકી રોહિત કોળી અને જય ચાવડાનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે રૂપેશ ધોળકિયા અને ગોપાલ અગેચણીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મોરબી રાજકોટ હાઈવેનું ફોરલેન કામ લાંબા સમયથી ચાલે છે જેના કારણે ભૂતકાળમાં જીવલેણ અક્સમાત સર્જાઈ ચુક્યા છે.
મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી...
આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક...