૯ માં વિશ્વ યોગ દિવસ અન્વયે મોરબી જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મન થી તંદુરસ્ત રહેવા માટે યોગ અને પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ’ થીમ સાથે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાંકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આપણું પરિવાર કાયમી યોગ કરતું થાય તે જરૂરી છે. આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર મોરબીમાં ૭૨ હજાર લોકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગને જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે નિર્ધાર કર્યો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ કલેકટર ડી.સી. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા તથા ગોસ્વામી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ સાથે પોલીસ જવાનો, પોલીસ કેડેટ્સ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવસર નાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, સંસ્કાર બ્લડ બેન્ક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ બ્લડ ડોનેશન કેમ્પને મોરબી જિલ્લા...
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષના દર્દી છે જે ખેતરમાં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, ગરદન હમાં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલમાં બતાવેલ પણ રાહત ન થતા.
આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું...
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના રણછોડનગરમા જલારામ એપાર્ટમેન્ટમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ કિં રૂ. ૬૪,૮૦૦ નો મુદ્દામાલ સિટી બી ડિવિઝન પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ...