મોરબી ઉમીયા સર્કલ પાસે કેનાલમાં પડી ડુબી જતાં વૃદ્ધનુ મોત
મોરબી: મોરબીના ઉમીયા સર્કલ પાસે કેનાલમાં પડી ડુબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી કામધેનુ પાછળ પચીસ વારીયા સોસાયટી આવાસ યોજનામાં રહેતા અરુણભાઇ દયાળજીભાઇ લખતરીયા ઉ.વ. ૬૫ વાળા ગઇ તા.૧૪/૦૪ /૨૦૨૪ ના રોજ મજુરી કામ અર્થે ગયેલ હોય અને ઉમીયા સર્કલ કેનાલ પાસે બેસેલ હોય અને તેને ઘણા સમયથી વાય આવવાની બીમારી હોય જેના કારણે કેનાલમાં પડી જતા પાણીમા ડુબી જતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.