અષાઢી બીજ નિમિત્તે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથ યાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારોની સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી. આ ભવ્ય રથયાત્રા મોરબીના અલગ અલગ માર્ગો પરથી વિશાળ જનમેદની સાથે રાસ અને ગરબા તેમજ ” જય મચ્છુ માં ” ના જયકર સાથે પસાર થઈ હતી.
દરવર્ષે અષાઢી બીજનાં અવસર પર મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. રબારી અને ભરવાડ સમાજ દ્વારા આ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વિશાળ અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના આજુ બાજુ ના ગામડાઓ તેમજ અન્ય જીલ્લાઓ અને ગામડાઓ માંથી પણ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાવવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે મચ્છુ માતાજીની રથયાત્રા સાથે રથયાત્રામાં આવેલ તમામ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
હળવદ નજીક ઢવાણા ગામના પાટીયા પાસે એક ઇસમ સાધુના વેસમાં તથા સ્વીફ્ટ ચાલક એમ બંન્નેએ મળી ફરીયાદી ખેડુતના વેચાણના રૂપિયા ૧, ૨૨,૦૦૦/-જુટવી લઇ ગયેલ બંન્ને ઇસમોને સ્વીફ્ટ કાર તથા રોકડા રૂપીયા સાથે મોરબી એલ.સી.બી. / પેરોલફલો સ્કવોડની ટીમે ઝડપી પાડયાં છે.
ગઇ તા. ૦૩ જુનના રોજ ફરીયાદી પોતાની ખેતીની ઉપજના...
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં આ કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આસપાસના વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. દરેક યુવાન તંદુરસ્ત વ્યક્તિએ...
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તથા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા આગામી તારીખ ૧૭-૦૬-૨૦૨૫ ને મંગળવારના રોજ રાત્રીના ૦૯ થી ૧૦:૩૦ કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય સામે I.M.A હોલ ખાતે ગર્ભસંસ્કાર કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે.
શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો...