મોરબીનાં બોરીયાપાટી થી દલવાળી સર્કલ સુધીનો રોડ વન વે અને નો પાર્કિંગ ઝોન કરવાની વાત ફકત લોલીપોપ !!!
મોરબીમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સાબીત થઇ રહી છે ત્યારે મોરબીનાં કેટલાક રોડ વન વે જાહેર કરી ને ટ્રાફિકની સમસ્યા હળવી બનાવી શકાય તેમ છે
આજ બાબતે અવની ચોકડી ના કેટલાક લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે તેમજ મોરબીના ધારાસભ્ય અને મોરબીનાં અધિક કલેકટર અવની ચોકડી ખાતે એક ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેલ તે દરમિયાન રૂબરૂ આ બાબતની મૌખિક રજૂઆત પણ કરી હતી
ત્યારે જોસ માં આવી જઇને કાંતિભાઈ અમૃતિયા એ આ બાબતે ડંફાસો કરતા જણાવ્યું હતું કે ૨-૩ દિવસમાં જ આ રોડ વન વે કરાવી આપીશ અને સ્થળ પર હાજર અધિક કલેકટર એન.કે. મુછાર ને આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવા પણ કહ્યું હતું અને અધિક કલેકટર એન.કે. મુછારે પણ આ બાબતે ૨-૩ દિવસમાં જાહેર નામુ બહાર પાડી ને આ રોડ વન વે તેમજ નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરી ટ્રાફિક ની સમસ્યા માંથી બહાર કાઢવા પ્રયાસ કરવામાં આવશે તેવી વાત મીડિયાની હાજરીમાં કહી હતી પણ ..મજાની વાત તો એ છે કે એ વાત ને મહિનાઓ વીતી ગયા છતાં આજ દિવસ સુધી આ રોડ વન વે થયો નથી
શું કોઈ અન્ય નેતાના દબાવમાં કે કોઈ મોટા બિલ્ડરોના ઇશારે આ રોડ વન વે કરવામાં આવતો નથી તેવી પણ ચર્ચા થઈ રહી છે કેમ કે આ રોડ પર મોટા મોટા બિલ્ડરોનાં એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં કોઈ પણ પ્રકારની પાર્કિગની સુવિધાઓ નથી જેથી આ એપાર્ટમેન્ટ નાં રહીશો દ્વારા પોતાના વાહનો આ રોડ પર પાર્કિંગ કરી દેવામાં આવે છે તેમજ મોટા ગજાના નેતા નાં શોપિંગ માર્કેટો આવેલા ધારાસભ્યની ઓફિસ આવેલી છે જેના કારણે જો આ રોડ વન વે થઈ જાય તો આ લોકોને પોતાના વાહનો આડેધડ પાર્ક કરવામાં તકલીફો પડે તેમ છે જેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ રોડ વને કરવામાં આવતો નથી
જો ખરે ખર કાંતિભાઈ અમૃતિયા ની કરની અને કથની ફેર નાં હોઈ અને અધિક કલેકટરે જાહેરમાં લોકોને આપેલું આશ્વાસન ખોટું ન હોઈ તો પ્રજાને પડતી હાલાકી માંથી બહાર કાઢવા માટે તાત્કાલિક આ આખો રોડ વન વે કરવો જોઈએ
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય...
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...