Friday, April 26, 2024

RBI એ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ, જાણો ગ્રાહકોને પૈસા પાછા મળશે કે નહીં ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ પુણે સ્થિત શિવાજી રાવ ભોસલે સહકારી બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. હવે, આ બેંક કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકશે નહીં. બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના ન હોવાથી કેન્દ્રીય બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ કહ્યું કે આ ઉપરાંત બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કેટલીક જોગવાઈઓનું પાલન કરતી નથી.

98% ગ્રાહકોને સંપૂર્ણ પૈસા પાછા મળશે.
થાપણદારોની વાત કરીએ તો આ સંદર્ભમાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે, આ બેંક ચાલુ રાખવી એ તેના થાપણદારોના હિત માટે યોગ્ય નથી.આરબીઆઈએ જણાવ્યું હતું કે, બેંકે આપેલા ડેટા મુજબ 98 ટકા ડિપોઝિટરોને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી)માંથી તેમની થાપણોના બદલામાં સંપૂર્ણ નાણાં મળશે.ઉલ્લેખનીય છે કે ડીઆઈસીજીસી હેઠળ બેંક ડૂબી જાય અથવા બંધ થાય તો થાપણદારોને રૂ. 5 લાખ સુધીની ડિપોઝિટ મળે છે.

ગ્રાહકો તેમના નાણાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બેંકોમાં જમા કરાવે છે, પરંતુ કેટલીક વાર બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના નિયમો મુજબ કામ કરી શકતી નથી. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક તેમની સામે કાર્યવાહી કરે છે. આરબીઆઈ મોટાભાગની બેંકો પર દંડ ફટકારે છે. પરંતુ કેટલાક સંજોગોમાં તેણે ગ્રાહકોની સલામતીના હિતમાં લાઇસન્સ રદ કરવું પડે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંક ચાલુ રાખવું તેના થાપણદારોના હિતમાં નહોતું. બેંક તેની નબળી નાણાકીય સ્થિતિને કારણે હાલના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં અસમર્થ રહેશે. આરબીઆઈએ મહારાષ્ટ્રની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને શિવાજી રાવ ભોસલે કો-ઓપરેટિવ બેંક લિમિટેડ બંધ કરવાનો આદેશ જારી કરવા જણાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર