બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હંમેશા સાહિદની જેમ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના ચાહકો માટે ખાસ ફોટો-વીડિયો શેર કરતી રહે છે. મીરા રાજપૂત પોતાના અંગત જીવન વિશે પણ ખાસ ખુલાસા કરતી રહે છે. અને હવે તેણે પહેલી વાર તેના ચહેરા પર થયેલ એક ઘાવના નિશાન અંગે વાત કરી. મીરા રાજપૂતના કપાળની ડાબી બાજુ એક ઘાવ છે. આ નિશાન ઘણી વાર તેના ફોટોગ્રાફ્સમાં જોઇ શકાય છે. આ ઈજાના નિશાન વિશે તેમણે ખુલ્લેઆમ વાત કરી છે. ખરેખર મીરા રાજપૂતે સોમવારે તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર એક વિશેષ સેશન કર્યું હતું. આ દરમિયાન તેણે ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તેના કપાળમાં થયેલી ઇજા વિશે પણ જણાવ્યું હતું. મીરા રાજપૂતના ચાહકે તેના કપાળમાં થયેલી ઈજા અંગે સવાલ કર્યા હતા. આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે તેને આ ઈજા થઈ હતી. મીરા રાજપૂતે કહ્યું કે, ‘હું જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે બધા બાળકોની જેમ હું પણ મારા પલંગ પર કુદી રહી હતી. તે જ સમયે, હું પલંગ પરથી પડી અને મને પલંગના ખૂણાથી ઇજા થઈ.અને આ નિશાન રહી ગયું.’ આ સિવાય મીરા રાજપૂતે તેના અંગત જીવન વિશે પણ ઘણી રમૂજી વાતો શેર કરી છે. તેણે તેના ક્રશ વિશે પણ જણાવ્યું હતું. મીરાંનો ક્રશ ક્રિકેટર એબી ડીવિલિયર્સ છે. તેણે કહ્યું કે તેને એ ક્રિકેટર ખુબ જ ગમે છે. મીરાએ જણાવ્યું હતું કે તેનો પ્રિય નેટફ્લિક્સ શો શિટ્સ ક્રિક હતો. મીરાએ જણાવ્યું હતું કે તેનો પ્રિય નાસ્તો પોહા છે. આમ મીરાંએ તેના ચાહોકાના અનેક સવાલોના જવાબ આપ્યા અને તેના અંગત જીવન વિશે પણ વાત કરી હતી.
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તેના ચહેરાની ઈજા અંગે કર્યો આ ખુલાસો.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...