Saturday, July 27, 2024

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તેના ચહેરાની ઈજા અંગે કર્યો આ ખુલાસો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હંમેશા સાહિદની જેમ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના ચાહકો માટે ખાસ ફોટો-વીડિયો શેર કરતી રહે છે. મીરા રાજપૂત પોતાના અંગત જીવન વિશે પણ ખાસ ખુલાસા કરતી રહે છે. અને હવે તેણે પહેલી વાર તેના ચહેરા પર થયેલ એક ઘાવના નિશાન અંગે વાત કરી. મીરા રાજપૂતના કપાળની ડાબી બાજુ એક ઘાવ છે. આ નિશાન ઘણી વાર તેના ફોટોગ્રાફ્સમાં જોઇ શકાય છે. આ ઈજાના નિશાન વિશે તેમણે ખુલ્લેઆમ વાત કરી છે. ખરેખર મીરા રાજપૂતે સોમવારે તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર એક વિશેષ સેશન કર્યું હતું. આ દરમિયાન તેણે ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તેના કપાળમાં થયેલી ઇજા વિશે પણ જણાવ્યું હતું. મીરા રાજપૂતના ચાહકે તેના કપાળમાં થયેલી ઈજા અંગે સવાલ કર્યા હતા. આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે તેને આ ઈજા થઈ હતી. મીરા રાજપૂતે કહ્યું કે, ‘હું જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે બધા બાળકોની જેમ હું પણ મારા પલંગ પર કુદી રહી હતી. તે જ સમયે, હું પલંગ પરથી પડી અને મને પલંગના ખૂણાથી ઇજા થઈ.અને આ નિશાન રહી ગયું.’ આ સિવાય મીરા રાજપૂતે તેના અંગત જીવન વિશે પણ ઘણી રમૂજી વાતો શેર કરી છે. તેણે તેના ક્રશ વિશે પણ જણાવ્યું હતું. મીરાંનો ક્રશ ક્રિકેટર એબી ડીવિલિયર્સ છે. તેણે કહ્યું કે તેને એ ક્રિકેટર ખુબ જ ગમે છે. મીરાએ જણાવ્યું હતું કે તેનો પ્રિય નેટફ્લિક્સ શો શિટ્સ ક્રિક હતો. મીરાએ જણાવ્યું હતું કે તેનો પ્રિય નાસ્તો પોહા છે. આમ મીરાંએ તેના ચાહોકાના અનેક સવાલોના જવાબ આપ્યા અને તેના અંગત જીવન વિશે પણ વાત કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર