મોરબીના હળવદ તાલુકામાં ગત ૧૨ જૂનના રોજ ભારે વરસાદ પડ્યો હતો જેમાં વરસાદનાં હળવદના સુંદરી ભવાની ગામમાં દિવાલ ધરાસાહી થઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હતા ત્યારે સરકારે મૃતકના પરિવારને ચાર ચાર લાખની સહાય કરવાનો નિર્ણય લીધો છે.
ગત ૧૨ તારીખના રોજ સુંદરીભવાની ગામમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદે એક પરિવારને તહસ- નહસ કરી નાખ્યો હતો સુંદરીભવાની ગામમાં રહેતા દેગામા પરિવારના ત્રણ સભ્યો દિવાલ નીચે દટાઈ ગયા હતા.
સુંદરીભવાની ગામમાં સુંદરીભવાની મંદિર થી કેનાલ તરફ જતા રસ્તા પર આવેલ વાડીની દીવાલ ધરાસાહી થઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દટાયા હતા. દેગામા પરિવારના આધારસ્તંભ ત્રણ સભ્યોનો દીવાલે ભોગ લીધો હતો. ત્યારે આજરોજ સરકાર દ્વારા દેગામા પરિવારને ચાર ચાર લાખ રૂપિયા એટલે કે કુલ ૧૨ લાખ રૂપિયાની સહાય મંજુર કરી છે.
