Tuesday, March 19, 2024

શ્રીનગરના ભગત બરજુલ્લામાં આતંકવાદી હુમલો, બે પોલીસ જવાન શહીદ; ફૂટેજમાં ગોળીઓ વરસાવી રહેલો આતંકવાદી ઝડપાયો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કાશ્મીર ખીણમાં છેલ્લા 16 કલાકમાં ત્રીજી આતંકી ઘટના બની છે. આતંકવાદીએ જિલ્લા શ્રીનગરના ભગત બરજુલ્લા વિસ્તારના મુખ્ય બજારમાં ઉભેલા બે પોલીસ કર્મીઓને ગોળી મારી. હુમલો કરનારા આતંકવાદીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તે દુકાનની બહાર ઉભા રહેલા પોલીસ કર્મચારી પર ગોળીબાર કર્યા બાદ ભાગતો નજરે પડે છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આતંકવાદી ફિરન પહેર્યું છે અને તેની અંદર તેણે એકે -47 છુપાવી હતી. ખૂબ જ સરળતા સાથે, આતંકી મુખ્ય બજારમાં પહોંચ્યો અને દુકાનની બહાર ઉભેલા પોલીસ કર્મચારી પર ગોળી ચલાવીને દોડી ગયો. આ ફાયરિંગની ઘટનાથી બજારમાં હંગામો મચી ગયો હતો. દુકાનદારો તેમની દુકાનોમાંથી ભાગતા નજરે પડયા હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ હુમલો કરતી વખતે આતંકવાદીએ બીજા પોલીસ કર્મચારી ઉપર પણ ફાયરિંગ કર્યું હતું. આતંકીઓ નાસી ગયા બાદ બંને પોલીસ કર્મચારીઓને સ્થાનિકો અને પોલીસની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહીદ સોહેલ અહેમદ એસ.એમ.એચ.એસ. હોસ્પિટલમાં દમ તોડ્યો હતો જ્યારે અન્ય એક પોલીસ કર્મચારી મોહમ્મદ યુસુફનું પોલીસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુરક્ષા કર્મચારીઓ એન્કાઉન્ટર સ્થળે દોડી ગયા હતા અને આતંકવાદીની શોધ શરૂ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર