ગુજરાતને હવે ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળવાનું શરૃ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૫ મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ ૧૦ જૂનથી થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. આગામી ૨૫ મેના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. બંને જિલ્લાામા આકાશ વાદળોથી ઘેરાઈ ગયુ છે. જે વાતાવરણના પ્રિમોન્સૂન એક્ટિવિટીના સંકેત છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયું છે. ગત રાત્રિથી ભારે પવન ફૂંકાયો છે, જે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યો. ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી ગઈ છે. આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું છે.
તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહીત ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ધાનેરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. તો સાથે જ દિવસ દરમ્યાનના ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા જનજીવન ખુશખુશાલ થયેલુ જોવા મળ્યું.
તો બીજી તરફ, ગુજરાતના લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, હાલમાં રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળશે.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...