હળવદની ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળાની કુલ ત્રણ વિદ્યાર્થીનીઓ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં હળવદ તાલુકામાં દ્વિતીય ,તૃતીય અને છઠ્ઠો નંબર મેળવી શિષ્યવૃત્તિ માટે પસંદગી પામી છે શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ હળવદ-1ના સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ 2021 નું પરિણામ જાહેર થયું હતું જેમાં હળવદની શ્રી સરકારી માધ્યમિક શાળા ઘનશ્યામપુરના ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ 1)પરમાર કૃપા ભુદરભાઈ 2)પરમાર ભાવેશ્રી બળદેવભાઇ 3) સોનગ્રા ભાવિકાબેન ભીખાભાઈએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં દ્વિતીય,તૃતીય અને છઠ્ઠો ક્રમ મેળવી શાળાનું તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય એચ.એમ. પટેલ તેમજ શિક્ષક શ્રી આનંદભાઈ જે જાદવ અને પ્રિયંકાબેન પી પટેલ તેમજ સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિનોદભાઈ વિંધાણી દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન આપી જીવનમાં સફળતાના શિખરો સર કરવા ની શુભેચ્છાઓ પાઠવી હતી.
રવિ પરીખ હળવદ
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી...
મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન...