મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૦૮/૦૬/૨૦૨૨ થી શરૂ થનાર છે.
અરજદારhttp://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૧/૦૬/૨૦૨૨ થી તા.૧૨/૦૬/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૧૩/૦૬/૨૦૨૨ નારોજ ઓક્શનનું પરિણામ http://www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે.પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...