મોરબી: મોરબીમાં વધતા છેડતીના બનાવો અને ગુનાખોરીને ડામવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેમાં ગઈકાલે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યા બાદ આજે પોલીસે શાળા અને ટ્યુશન કલાસીસના સંચાલકો સાથે આજે પોલીસે મીટીંગ યોજી હતી જે મીટીંગમાં જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી એ ઝાલા સહિતના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
મોરબીની ખાનગી શાળાના સંચાલકો અને ટ્યુશન તેમજ કોચિંગ કલાસીસના સંચાલકો સાથે એ ડીવીઝન પોલીસ મથક ખાતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વિવિધ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો શાળા અને કલાસીસ સંચાલકો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા જેમાં ક્યાં વિસ્તારમાં પોલીસને વધુ પેટ્રોલિંગની જરૂરત છે, શાળા-કોલેજ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી.
જે મામલે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શાળા પાસે ટ્રાફિક સમસ્યા હોય તેવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે અને ટ્રાફિક ક્લીયરન્સ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે તો વાલીઓને પણ જરૂરી સૂચનાઓ આપવામા આવી હતી જેમાં નાની ઉમરના બાળકોને વાહનો ચલાવવા ના આપવા, લાયસન્સ મેળવ્યા બાદ જ વાહન ચલાવવા આપવું અને આવા કેસમાં વાલીઓની જવાબદારી ફિક્સ થાય છે તેવી માહિતી આપવામાં આવી હતી.
સાથે જ દીકરીઓ સાથે દીકરાને પણ સમજણ આપવામાં આવે જેમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, મહલા સુરક્ષા અને મહિલા સન્માન અંગે દીકરાઓને જરૂરી માહિતી આપવી જેથી આવા કૃત્ય ના કરે અને પોલીસને એક્શન લેવાની ફરજ ના પડે તેમ જણાવ્યું હતું સાથે જ છેડતી જેવા બનાવોમાં ફરિયાદી પોતાની ઓળખ જાહેર કરવા ના માંગતા હોય તો પણ કાયદાની જોગવાઈ પ્રમાણે પોલીસ નામ ગુપ્ત રાખી એક્શન લઇ સકે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી.
એક ૭૦ વર્ષના માજી ને ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલ માં લાવવા માં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડો સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે માજીને છાતીમાં દુઃખાવો,ગભરામણ,તાવ અને શ્વાસ લેવા માં તકલીફ જેવી તકલીફો હતી, ત્યાં માજી નું ઓક્સીજન લેવલ તપાસ કરતા જણાયું કે ઓક્સીજન નું લેવલ ઓછુ (૭૦%) છે,ઓક્સીજન...
મોરબી જીલ્લાના પુરવઠાના ગોડાઉનોમા ઘઉં તથા ચોખાનો જથ્થો તથા મજુરોની વ્યવસ્થા પુરી કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના નાયબ જીલ્લા મેનેજર તથા મોરબી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આશીયાના કોટન વર્કસને જાણ કરતા આશીયાના કોટન વર્કસના પ્રતિનીધીને સારૂ ન લાગતા આરોપીએ નાગરિક પુરવઠા નિગમ લિ.ના મેનેજરને ફોન પર ગાળો...
વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ખેડૂતે ખેતરમાં રાખેલ મગફળીનો પાલો તથા જારની કડબનો ઢગલો આરોપીએ સળગાવી દઈ ખેત પેદાશોનુ અંદાજીત ૬૫ થી ૭૦ હજારનું નુકસાન કરી નાસી જનાર શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા ખેતી કરતા એઝાજએહમદ ઇસ્માઇલભાઇ...