મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રમેશભાઈ ભવાનભાઈની વાડીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ૧૪ વર્ષીય સગીરાએ જીવન ટુંકાવ્યું.
મળતી માહિતી મુજબ વીનાબેન જવલાભાઇ પરમાર ઉ.વ.૧૪ રહે. ખાનપર ગામની સીમમાં રમેશભાઇ ભવાનભાઇની વાડીમાં તા.જી.મોરબી વાળીએ કોઈપણ અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
