Wednesday, April 24, 2024

અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે 1 મહિના કરતા ઓછા સમયમાં 1,511 કરોડ થયા એકત્રિત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે જે દાન આપવામાં આવ્યું છે તે 1.5 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. શુક્રવાર સુધીમાં, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખરેખ માટે સ્થાપિત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં રૂ. 1,511 કરોડ જમા થઈ ગયા હતા.શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ શુક્રવારે સાંજે આ માહિતી આપી હતી.ખજાનચી સ્વામી ગિરીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખરેખ માટે બનાવવામાં આવેલી ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખાતામાં 1,511 કરોડની રકમ જમા કરવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે, શ્રી રામ મંદિરના ભવ્ય બાંધકામ માટે દેશભરમાંથી નાણાં એકઠા કરવામાં આવી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે દેશમાં 4 લાખ ગામડાઓ અને 11 કરોડ પરિવારો અમારી દાન ઝુંબેશ દરમિયાન પહોંચે. દાન અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થયું છે જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. હું આ અભિયાન માટે સુરતમાં છું લોકો ટ્રસ્ટમાં ઘણું યોગદાન આપી રહ્યા છે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે 492 વર્ષ બાદ લોકોને ધર્મ માટે કંઈક કરવાની ખાસ તક મળી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, 9 નવેમ્બર, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટ બેંચના પાંચ જજોએ તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ રંજન ગોગોઈની આગેવાની હેઠળ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને 2.7 એકરમાં ફેલાયેલી સમગ્ર વિવાદિત જમીનના બાંધકામ માટે ટ્રસ્ટની સ્થાપના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણની દેખરેખ માટે ફેબ્રુઆરી 2020 માં તીર્થસ્થાન બનાવવાની ઘોષણા કરી હતી અને 5 ઓગસ્ટ 2020 માં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર