Monday, May 25, 2026

ભારતમાં એંટીબાયોટિક દવાના સેવનમાં 30%નો વધારો થયો, જો તમે પણ આ દવા લો છો તો થઇ જાવ સાવધાન.

એન્ટીબાયોટીક વૈશ્વિક રોગચાળાઓમાં ખૂબ ચર્ચિત શબ્દ રહ્યો છે. ભારતમાં એન્ટિબાયોટિક્સ લેનારા લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. એક તાજેતરના અહેવાલમાં, ભારતમાં એન્ટિબાયોટિકનું સેવન દર દાયકામાં 30 ટકાનો વધારો કરે છે. જો શરીરનું તાપમાન વધે અથવા શરદી હોય છે, તો લોકો આ દવાઓનો ઉપયોગ તુરંત કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દવાઓ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. એન્ટિબાયોટિક્સનો ખોટો ઉપયોગ આખા વિશ્વમાં એક મોટો ખતરો બની રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ થોડી નાની એવી બીમારીમાં એન્ટિબાયોટિક દવા લ્યો છો તો, જરૂર સાવચેત થવાની જરૂર છે.

વર્લ્ડ એન્ટિબાયોટિક્સ 2021 ના ​​અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકા દરમિયાન ભારતમાં એન્ટિબાયોટિક્સના વપરાશમાં ઝડપથી વધારો થયો છે. એન્ટિબાયોટિક્સના વપરાશમાં વ્યક્તિ દીઠ 30 ટકાનો વધારો થયો છે. અહેવાલમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગના વધતા વ્યાપ અંગે ચિંતા કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે અને ભારતમાં પ્રાણી આરોગ્ય ક્ષેત્રમાં રોગનિરોધી દવાના ઉપયોગમાં વ્યાપક વધારો એ ચિંતાનું મુખ્ય કારણ છે. 2020 માં ભારતમાં પ્રાણીઓ માટે રોગનિરોધી દવાનો કુલ ઉપયોગ આશરે 2,160.02 ટન હતો, જે 2030 સુધીમાં 2,236.74 ટન પહોંચવાની ધારણા છે. તાજેતરના સંશોધનથી જણાવા મળ્યું છે કે જન્મના પ્રારંભમાં જ એન્ટિબાયોટિક દવા આપવાથી નવજાત શિશુના વિકાસને અસર કરે છે. ભારત વિશ્વના એન્ટિબાયોટિક્સનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. “મોટાભાગના ભારતીયો માને છે કે એન્ટિબાયોટિક્સ સામાન્ય શરદી જેવા રોગોની સારવાર કરી શકે છે,” એન્ટિબાયોટિક પ્રતિકાર અંગે વધતી ચિંતા પર વિશ્વના આરોગ્ય નિષ્ણાતો કહે છે. આમાંના મોટાભાગના ચેપ વાયરસથી થાય છે અને એન્ટિબાયોટિક્સ દવાની તેમની સારવારમાં કોઈ ભૂમિકા હોતી નથી. ”

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img