કોરોના સામે રક્ષણ માટે દેશવ્યાપી રસીકરણ અભિયાનની વચ્ચે, વીમા નિયમનકાર IRDAIએ કહ્યું છે કે રસીથી કોઈ સમસ્યા ઉભી થાય તો વીમાનો લાભ મળશે. ગુરુવારે એક નિવેદનમાં, વીમા નિયમનકારે જણાવ્યું હતું કે કોરોના રસીના સંભવિત વિપરીત અસરોથી પીડાતા દર્દીઓ આરોગ્ય વીમા હેઠળ હોસ્પિટલમાં દાખલ અથવા ઇલાજ કરાવી શકે છે. IRDAIએ જણાવ્યું હતું કે કેટલાક અખબારી અહેવાલોમાં એ વાતની શંકા દર્શાવાઈ રહી હતી કે કોવિડ -19 રસીકરણની વિપરીત અસરને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા બદલ વીમા કવરનો લાભ મળશે કે નહિ. આનો ખુલાસો કરતાં IRDAI એ જણાવ્યું છે કે જો રસીકરણ પછી વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો તેને વીમા કવરનો લાભ મળશે. વીમા નિયમનકાર આઇઆરડીએઆઈ દ્વારા આ ખુલાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં, એક મહત્વપૂર્ણ નિર્દેશમાં, IRDAI એ કહ્યું કે વીમા કંપનીઓએ ઉત્પાદમાં વધારાની આડમાં પ્રીમિયમ વધારવાનું કામ ન કરવું જોઈએ. તે આરોગ્ય સહિત અકસ્માત અને મુસાફરી તમામ પ્રકારના વીમા ઉત્પાદનો માટે માન્ય રહેશે. ઉત્પાદનને વધુ સારું બનાવવા માટે, આરોગ્ય વીમા વ્યવસાયમાં પ્રોડક્ટ ફાઇલિંગ અંગેના કન્સોલિડેટેડ ગાઇડલાઇન્સનો પણ આ અઠવાડિયામાં જારી કરાયેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય, નિયમનકારે પોલિસી ઉત્પાદકોને આરોગ્ય ક્ષેત્રના દરેક વીમાનું આર્થિક મૂલ્યાંકન કર્યા પછી રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. નાણાકીય વર્ષના અંત પછી 30 સપ્ટેમ્બર સુધીમાં અહેવાલ રજૂ કરવો જરૂરી છે.
COVID-19 ની વૅક્સિનથી કોઈ સમસ્યા સર્જાય તો મળશે ઇન્સ્યોરન્સ કવરનો લાભ : IRDAI
વધુ જુઓ
મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ
લાખો લોકોની રોજગારી પર સીધી અસર
ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક...
શેરબજાર ઊંચા સ્તરે બંધ, સેન્સેક્સમાં 359 અંકનો ઉછાળો, નિફ્ટી 15,700 ને પાર
સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૨.૪૦ પોઇન્ટ વધીને ૧૫,૭૩૭.૭૫ અંક પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ડિવિસ લેબના શેર લીલા નિશાન સાથે બંધ થયા...
સફળતા: ચીની અબજોપતિઓથી આગળ નીકળ્યા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી અને અદાણીની સંપત્તિમાં અનુક્રમે 84 અબજ ડોલર અને 78 અબજ ડોલરનો વધારો થયો છે.
મુકેશ અંબાણીની નેટવર્થ 84 અબજ...