Saturday, April 20, 2024

મુંબઈની COVID હોસ્પિટલમાં આગ લાગી ઘણા લોકોના થયા મૃત્યુ, BMC એ તપાસના આદેશ આપ્યા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મુંબઈના ભાંડુપ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ખાનગી COVID-19 સનરાઇઝ હોસ્પિટલમાં આગ લાગતાં 10 લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. આગની જાણ થતાં જ 23 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ હોસ્પિટલમાં 76 કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલ ડ્રીમ્સ મોલના ત્રીજા માળે આવેલી છે. મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, મુંબઇની સનરાઇઝ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 10 લોકોનાં કરૂણ મોત થયા છે. આ કિસ્સામાં, હોસ્પિટલનું સંચાલન સંપૂર્ણપણે જવાબદાર છે. આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવશે.બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાંડુપ આગની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, આ દુ: ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. મુંબઈના સંરક્ષક મંત્રી અસલમ શેખના જણાવ્યા અનુસાર તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલ અને મોલમાં ફાયર સેફ્ટીનાં સાધનો ઉપલબ્ધ હતા. આ કેસમાં જે જવાબદાર જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પ્રશાંત કદમના જણાવ્યા અનુસાર આશરે 23 ફાયર ફાઈટરની ગાડીઓ આગને કાબૂમાં લેવા હોસ્પિટલ પહોંચી છે. આ ખાનગી હોસ્પિટલ મોલના ત્રીજા માળે આવેલી છે જ્યાં 76 કોવીડ -19 દર્દીઓ દાખલ થયા હતા. આગ મોડી રાતે 12.30 વાગ્યે મોલના પહેલા માળે લાગી હતી. તે લેવલ -3 અથવા લેવલ -4 ની આગ જણાવાઈ રહી છે. આ ઘટના અંગે મુંબઇના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, “મેં પહેલીવાર મોલમાં એક હોસ્પિટલ જોઇ છે. આ એક ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. હોસ્પિટલમાં દાખલ સાત દર્દીઓ વેન્ટિલેટર પર હતા. 70 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર