Thursday, April 25, 2024

અભિનેતા બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન, આર્મી ઓફિસર રહી ચુક્યા છે આ અભિનેતા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોરોના અનેક લોકોને ભરખી ગયો છે. આ કારણે અત્યાર સુધી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સામાન્ય હોય કે ખાસ, આ રોગ કોઈને છોડતો નથી. આ રોગચાળો ઘણા લોકો માટે કાળ બની ગયો છે. આ દરમિયાન હવે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ખરાબ સમાચાર આવ્યા છે. જાણીતા એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન થયું. 52 વર્ષના બિક્રમજીતના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. તેમના નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર બૉલીવુડ જગતમાં પણ આઘાતનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર અભિનેતાના નિધન પર ચાહકો અને સ્ટાર્સ સતત દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. બિક્રમજીત કંવરપાલનો જન્મ હિમાચલ પ્રદેશમાં આર્મી ઓફિસરના ઘરે થયો હતો. બિક્રમજીત પોતે આર્મીમાં કામ કરતો હતો. તેઓ ૨૦૦૨ માં આર્મીમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેણે 2003માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બિક્રમજિતે ‘પેજ 3’, ‘પાપ’, ‘કોર્પોરેટ’, ‘આથિથી તુમ કબ જાઓગે’, ‘મર્ડર 2’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘આરક્ષણ’, ‘2 સ્ટેટ્સ’, ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’ અને ‘ધ ગાઝી એટેક’ સહિતની અન્ય ફિલ્મો કરી હતી. બિક્રમજીત માત્ર બોલિવૂડ પર જ નહીં પરંતુ નાના પડદા પર પણ કામ કરી ચૂક્યો છે. બોલિવૂડ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે બિક્રમજીતની તસવીર શેર કરતાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર