બોલિવૂડના ઘણા સેલેબ્સ છે જેમને ઇવેન્ટ્સમાં આમંત્રણ આપવા માટે સારી કિંમત ચૂકવવામાં આવે છે. લગ્નનું ફંક્શન હોય કે રિબન કાપવાની હોય ઇવેન્ટ, સેલિબ્રિટીઝ સારી રકમ વસૂલે છે. અભિનેતા ચંકી પાંડેને એક એવી ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જે જાણીને તમને આશ્ચર્ય થશે. હકીકતમાં, આમંત્રણ ઉજવણીનું નહીં પરંતુ શોકનું હતું. ચંકીને તેના માટે પણ ભારે રકમ ચૂકવવામાં આવી હતી. જેમાં તેને એક વેપારીના અંતિમ સંસ્કાર વખતે રડવાનું હતું. ચંકી પાંડેએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે 2009માં મુલુંદના એક વેપારી પરિવારે તેમને તેમના વારસદારના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા વિનંતી કરી હતી.જેથી તેઓ તેમના મહેમાનો પર એવી છાપ મૂકી શકે કે ઉદ્યોગપતિઓએ ફિલ્મોમાં રોકાણ કર્યું છે અને તેથી તેઓ કંઈ પણ ઉધાર ચૂકવી શકશે નહીં. ચંકીએ જણાવ્યું કે, “તેઓ ઇચ્છતા હતા કે હું થોડો રડું અને અંતિમ સંસ્કાર દરમિયાન એક ખૂણામાં શાંતિથી ઊભો રહીને રડું. ચંકીએ કહ્યું કે મેં તે જ સમયે આ ઓફર ને નકારી કાઢી હતી પરંતુ પરિવારની સ્થિતિ જોયા પછી ત્યાં મેં રિપ્લેસમેન્ટ મોકલ્યું હતું. ચંકીએ કહ્યું, “હું કહી શકતો નથી કે મારી જગ્યાએ કોણ ગયું હતું. પરંતુ પાંચ લાખ એક સ્થળે મૂર્તિ તરીકે ઊભા રહેવા માટે થોડી રકમ નહોતી. ‘ જણાવી દઈએ કે ચંકીએ ૧૯૮૭ માં આવેલી ફિલ્મ ‘આગ હી આગ’ થી અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જેમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ તેણે નેવુંના દાયકામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે તેઝાબ, ખતરો કે ખિલાડી, મિટ્ટી અને સોના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં સફળ શરૂઆત પછી ચંકી ફરીથી ગુમનામ થઈ ગયો હતો પરંતુ બાંગ્લાદેશમાં ચંકીના ચાહકો મોટા પ્રમાણમાં હતા. ત્યારબાદ ચંકીએ તેની પત્નીના કહેવાથી બોલિવૂડમાં પુનરાગમન કર્યું હતું. ત્યારથી તે સતત સક્રિય છે. તેમની પુત્રી અનન્યાએ પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે.
ચંકી પાંડેને ઉદ્યોગપતિની શોક સભામાં રડવા માટે લાખોની ઓફર મળી હતી, અને પછી થયું એવું કે……
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...