કોરોના મહામારીના કારણે છેલ્લા 11 મહિનાથી બંધ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના વર્ગો આજથી શરૂ થયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માં ધોરણ – 6 થી 8 ના વર્ગો આજથી શરૂ થયા છે.સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા 11 મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ હતું..બાળકો નું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું પરંતુ કોરોના ના કેસો જેમ જેમ ઘટી રહ્યા છે તેમ તેમ કોરોના કાળ દરમ્યાન બંધ રહેલી શાળાઓ પૈકી સરકાર દ્વારા અગાઉ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વર્ગો ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યાં હતા. ત્યારે આજથી સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જીલ્લામાં પણ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ-૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે..જે મુજબ દરેક વિદ્યાર્થીઓને સ્કુલમાં પ્રવેશતી વખતે દરરોજ ટેમ્પરેચર માપ્યા બાદ માસ્ક, સેનેટાઈઝર સહિતની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવવામાં આવશે આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ફરજીયાત સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવું પડશે. આ અંગે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.
ગુજરાતમાં 6 થી 8 ના વર્ગ શરૂ થયા, આ નિયમોનું પાલન કરવું પડશે.
વધુ જુઓ
મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો
મોરબીની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ સંપન
મોરબી: બાળકોના જીવન ઘડતર માટેનું,બાળકોની લાઈફ સ્કિલના વિકાસ અને સંવર્ધન માટેનું કોઈ મહત્વનું સ્થળ હોય તો તે છે શાળા, એમાંય બાળક પોતાનું ઘર છોડી બહાર નીકળીને પહેલું પગલું પ્રાથમિક શાળામાં મૂકે છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રાથમિક, માધ્યમિક,...
મોરબી ગઢવી સમાજનું ગૌરવ PSI હિરેન ગઢવીનો આજે જન્મદિવસ
મોરબી: મોરબી ગઢવી સમાજનું ગૌરવ મૂળ માળિયા (મી) તાલુકાના સોખડા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિરેન નરસિંહ ગઢવીનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ હિરેન ગઢવી નાની ઉંમરમાં જ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા...
મોરબીના રંગપર ગામે કારખાનામાં શરીર પર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ કારખાનાના કાટા નજીક શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ...