રાજધાની દિલ્હીમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નવી 500 બેડવાળી કામચલાઉ હોસ્પિટલનું નિર્માણ શરૂ કર્યું છે. પૂર્વ દિલ્હીના જીટીબી એન્ક્લેવમાં રામલીલા મેદાનમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની ટીમ સાથે મંગળવારે સવારે અહીં નિર્માણ પામેલા હોસ્પિટલના કામોનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ હોસ્પિટલના દરેક બેડ પર ઓક્સિજનની સાથે આઈસીયુ બેડ પણ બનાવવામાં આવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે અહીં નિર્માણ થઈ રહેલી ૫૦૦ બેડવાળી હોસ્પિટલમાં દરેક બેડ પર ઓક્સિજન હશે. કટોકટીમાં દર્દીઓને તે સુવિધા પ્રદાન કરવા માટે કેટલાક આઇસીયુ બેડ પણ હશે. દિલ્હીની તમામ હોસ્પિટલોમાં તમામ બેડ ફૂલ થઇ ગયા છે. દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. એક રીતે રાજધાનીમાં મેડિકલ ઇમર્જન્સી ઊભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલે અગાઉ એક અઠવાડિયા સુધી લોકડાઉન લાદ્યું હતું, જે પછી તેને 26 જાન્યુઆરીથી વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું છે. સરકાર દિલ્હીના લોકોને તમામ પ્રકારની તબીબી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરી રહી છે.
આ દિશામાં કેન્દ્ર સરકારે દિલ્હીને આપવામાં આવતા ઓક્સિજનક્ષમતામાં પણ વધારો કર્યો છે. અન્ય રાજ્યોમાંથી ઓક્સિજન સિલિન્ડર પહોંચાડીને રેલવે દ્વારા ઓક્સિજનની અછતને દૂર કરવામાં આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને કોર્ટ પણ આ મામલે સુનાવણી કરી રહી છે. બીજી તરફ કોર્ટના ન્યાયાધીશોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે 5 સ્ટાર હોટેલોમાં 100 બેડ અનામત રાખવામાં આવ્યા છે જેથી ન્યાયાધીશો અને તેમના પરિવારોને કોઈ તબીબી સુવિધાઓ મેળવવામાં કોઈ અસુવિધા ન પડે. કોરોના સંક્ર્મણને રોકવા માટે સરકાર અન્ય માધ્યમો દ્વારા પણ કામ કરી રહી છે. આ ઉપરાંત ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે અન્ય રાજ્યો પાસેથી પણ મદદ માંગવામાં આવી રહી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)