Friday, April 19, 2024

કોવિડની બીજી લહેર આર્થિક રિકવરીમાં સૌથી મોટી અડચણ : RBI MPCનો અભિપ્રાય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દેશમાં નાણાકીય નીતિ અંગેની સમિતિ (એમપીસી)એ કોરોનાની બીજી લહેર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રની રિકવરી થશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની છેલ્લી બેઠક 5-7 એપ્રિલે યોજાઈ હતી. ગુરુવારે બેઠકની વિગતો જાહેર કરવામાં આવી છે. આ બેઠકમાં ઘણા સભ્યોએ દેશમાં ભીડ નિયંત્રણના અભાવ અને રસીકરણની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.આ બેઠકમાં દાસે કહ્યું હતું કે, કોરોનાના વધતા કેસો દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરવાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. એમપીસીએ બેઠકમાં ધિરાણદરમાં ફેરફાર કર્યો ન હતો. જોકે સમિતિએ એવો સંકેત આપ્યો હતો કે જરૂર પડે તો નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

દાસે એમ પણ કહ્યું હતું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશની આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ અંગે સ્થિતિ ખાસ બદલાઈ નથી. પરંતુ એમપીસીના અન્ય સભ્યો અર્થતંત્રની પુન:પ્રાપ્તિ અંગે ચિંતિત હતા. અર્થશાસ્ત્રી આશિમા ગોયલે કહ્યું છે કે અનિશ્ચિતતાના આ સમયગાળા છતાં જો આપણે 10 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરીએ તો પણ આપણે 2019ના સ્તરે રહીશું. કોરોનાને કારણે આપણે જે સમય ગુમાવ્યો છે તેની ભરપાઈ કરવા માટે વધુ પ્રયાસ કરવો પડશે. તેમણે એમ પણ કહ્યું છે કે એમપીસીએ પણ વધુ લવચીક બનવું પડશે અને આવશ્યકતા મુજબ પગલાં લેવા પડશે. ઉલ્લેખનીય છે કે સુશ્રી ગોયલે ત્યાં સુધી આંકડાઓ જોયા બાદ એવી આશંકા વ્યક્ત કરી હતી કે કોવિડ અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં મોટો વધારો શક્ય છે. પ્રો. જયંત આર વર્મા અને ડો. મૃદુલ કે સાગરે પણ કોવિડના વધતા કેસોને સૌથી ખતરનાક સંકેત તરીકે જોયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર