ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. પીટરસન તાજેતરમાં ભારતમાં હતો. તે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આઇપીએલ મુલતવી રાખવામાં આવ્યા બાદ પીટરસને ભારત છોડી દીધું છે અને ત્યાર બાદ હિન્દીમાં ટ્વીટ કર્યું હતું. પીટરસને કોરોના મહામારીથી પીડાતા ભારતના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, હું ભારત છોડી ચૂક્યો છું, પરંતુ હું હજી પણ એવા દેશ વિશે વિચારી રહ્યો છું જેણે મને ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. કૃપા કરીને લોકો સુરક્ષિત રહે. આ સમય પસાર થઈ જશે પણ તમારે સાવચેત રહેવું પડશે.” પીટરસનના આ ટ્વીટ પર લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, ઇમોશનલ કરી દીધા અને એક વ્યક્તિએ તેની હિન્દીની પ્રશંસા કરી અને અદ્ભુત કહ્યું. ઉલ્લેખનીય છે કે ઘણી ટીમોમાં કોરોનાના કેસ નોંધાયા બાદ આઇપીએલ-14 મુલતવી રાખવામાં આવી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. વધુ 31 મેચો બાકી છે. બીસીસીઆઈએ નક્કી કરવાનું છે કે સિઝનની બાકીની મેચો ક્યારે અને ક્યાં રમાશે. બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું છે કે આઇપીએલ-14ની બાકીની મેચો ભારતમાં રમાશે નહીં. તેમણે કહ્યું કે ટી-૨૦ લીગની બાકીની મેચો દેશમાં યોજાશે નહીં. જો કે તેમણે કહ્યું કે તે ક્યારે યોજાશે તે કહેવું વહેલું છે. જો લીગની બાકીની મેચો નહીં રમાય તો બોર્ડને આશરે 2500 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
ઈંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને કોરોનાગ્રસ્ત ભારતીય લોકો માટે હિન્દીમાં ટ્વીટ કર્યું, લોકો થયા ભાવુક.
વધુ જુઓ
BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો
ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટુર્નામેન્ટની બાકીની 31 મેચો અંગે ઘણું કહેવામાં આવ્યું છે પરંતુ હવે બોર્ડના વાઇસ ચેરમેને નિવેદન આપીને તેનો અંત લાવી દીધો છે. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી...
ભારતીય બેટ્સમેનને સદી ફટકારવા બદલ મળે છે લાખો રૂપિયા, યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા ત્યારે BCCI એ તેને આટલું ઇનામ આપ્યું હતું જાણીને તમને પણ થશે આશ્ચર્ય.
દરેકને ખબર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ તેના પુરુષ ખેલાડીઓ પર પૈસા લૂંટાવે છે. દરેક ખેલાડીને વાર્ષિક કોન્ટ્રાક્ટ તરીકે 7-7 કરોડ રૂપિયા મળે છે, તેમજ મેચ ફી અને અન્ય બોનસ અલગથી મળે છે. જો કોઈ બેટ્સમેન સદી ફટકારે અથવા બેવડી સદી ફટકારે અથવા બોલર પાંચ...
શ્રીલંકા પ્રવાસ માટે જનારી ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે ટીમની કેપ્ટન્સી, જાણો ટીમનું ટૂર શેડ્યૂલ.
ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ ખેડવાની છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસમાં 3 વન ડે અને ટી-20 મેચ રમવાની છે.ટીમનું ટૂર શેડ્યૂલ બહાર આવ્યું છે. ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. બંને ફોર્મેટ માટેની...