ખેડૂત આંદોલનને લઈને આજે પણ સંસદમાં હંગામાંનું વાતાવરણ સર્જાયું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર માનવાની ચર્ચા આજે પણ ચાલુ રહી. આ સાથે ખેડૂતોના મુદ્દે પણ ચર્ચા થઇ. રાજ્યસભામાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ ખેડૂતો અંગે નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે ખેડૂતોની સાથે ઉભા રહેવાની વાત કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ખેડૂતોને ‘આપણા દેશની સૌથી મોટી તાકાત’ ગણાવ્યા હતા. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે 15 મા નાણાં પંચે ગ્રામ પંચાયતોને 2.36 લાખ કરોડની ગ્રાન્ટ આપવાની ભલામણ કરી છે, જે કેબિનેટ દ્વારા સ્વીકારવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવા માટે લગભગ ૪૩૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં ખેડૂત આંદોલન અંગે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આજે સંસદ પહોંચ્યા હતા. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના હક માટે એન ન્યાય મળે તે માટે તેમને લડવાની ફરજ પડી, જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેના માટે ભારત સરકાર જવાબદાર છે. સાથે જ આ વિરોધ દરમિયાન માર્યા ગયેલા 194 ખેડુતોને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે 26 જાન્યુઆરીની હિંસા દરમિયાન ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ વધુમાં કહ્યું કે, ચિંતાની બાબત છે કે સુપ્રીમ કોર્ટ બંધારણીય કેસને લાંબા સમયથી પેન્ડિંગ રાખે છે. જ્યારે બંધારણીય કેસો તાત્કાલિક સુનાવણી અને નિર્ણયની માંગ કરે છે. ત્ન્યારે ન્તંયાતંત્ર દ્વારા થતી મોડી પ્રક્રિયાને કારણે તણાવ અને અવિશ્વાસ ઉભો થાય છે. આવું નિવેદન આપી આનંદ શર્માએ સુપ્રીમ કોર્ટ પર ટીપ્પણી કરી હતી. આજે રાજ્યસભામાં બસપાના સાંસદ સતીષ મિશ્રાએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પ્રદર્શન સ્થળો પાસે નાકાબંધી નક્કી કરવામાં આવી છે.તેઓએ અહમને દૂર કરવા અને ત્રણ કાયદાઓને રદ કરવા વિનંતી કરી હતી.
રાજ્યસભામાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો અંગે શું નિવેદન આપ્યુ જાણો.
વધુ જુઓ
મોરબી જિલ્લામાં ફરી એક મર્ડર: હળવદના ચુપણી ગામે આધેડની હત્યા
જમીનના ડખામાં કૌટુંબિક ભાઈએ જ કરી ભાઈની હત્યા
હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામે સામાન્ય બોલચાલી બાદ કુટુંબી ભાઈએ જ છરી ઘા ઝીંકી ભાઈની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે હળવદ તાલુકાના ચુંપણી ગામે જમીનમાં ચાલવા બાબતે વિવાદ કરતા બોલચાલી થઈ હતી ત્યારબાદ કુટુંબીભાઈએ છરીના ઘા ઝીંકી રામા મોહન...
“વૃક્ષ જતન, આબાદ વતન”નાં સૂત્ર ને સાર્થક કરતા જીવરાજભાઈ લિખિયા
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું...
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા
લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.
તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે...