સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સ એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ફક્ત ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના નામ જ બાકી છે. બાકી બોલીઓ નામંજૂર કરવામાં આવી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) ના સ્તરે અનેક બોલીઓ મળી હતી. મૂલ્યાંકન પછી આમાંથી મોટાભાગની બોલીઓને નકારી કાઢવામાં આવી હતી. બોલીદારોના પ્રતિસાદથી સરકાર સંતુષ્ટ થાય ત્યારબાદ લાયક બોલીદારોને જાણ કરવામાં આવશે. દીપમના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ તાજેતરમાં કહ્યું હતું કે એર ઈન્ડિયામાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અનેક ઇઓઆઈ પ્રાપ્ત થઈ છે. પાત્રતા અને અન્ય પરિમાણોની તપાસ કર્યા પછી આનો નિર્ણય લેવામાં આવશે. એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં, રસ ધરાવતા બોલીધારકો પાસેથી ઇઓઆઈ મંગાવવામાં આવ્યા છે. બીજા તબક્કામાં, રિકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) તેમજ બોલી લગાવવાની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધશે. એર ઇન્ડિયાના 209 કર્મચારીઓના જૂથે પણ બિડ લગાવી હતી. ડનલોપ અને ફાલ્કન ટાયરના એસ્સાર અને પવન રાઇયાંએ પણ એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. એર ઇન્ડિયા ગત વર્ષ 7 મેથી ચાલુ વર્ષ 28 ફેબ્રુઆરી દરમિયાન કોરોના રોગચાળા દરમિયાન 18,000 થી વધુ ફ્લાઇટ્સ સંચાલિત કરીને 55 દેશો અને 75 સ્થળોથી આશરે 25 લાખ લોકોને તેમના ઘરોમાં લાવવામાં સક્ષમ છે. આ સિવાય કંપનીએ કોવિડ -19 સામે વિશ્વની સૌથી મોટી રસી ડ્રાઇવમાં પણ મોટો ભાગ ભજવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, તેના વિમાનને સરસ રીતે સજ્જ કરવું, ફ્લાઇટ દરમિયાન સ્વાદિષ્ટ ભારતીય ભોજન ,તેને બાકીની હરીફાઈવળી એરલાઇન્સથી અલગ બનાવે છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ્સની મદદથી, ઉત્તરપૂર્વ, લદાખ, આંદામાન અને નિકોબાર આઇલેન્ડના દૂરના વિસ્તારોને આર્થિક તેમ સામાજિક ધારા સાથે જોડવામાં આવી રહ્યું છે.
એર ઇન્ડિયા ખરીદવાની દોડમાં જાણો કઈ ખાનગી કંપની છે આગળ ?
વધુ જુઓ
મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ
લાખો લોકોની રોજગારી પર સીધી અસર
ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક...
શેરબજાર ઊંચા સ્તરે બંધ, સેન્સેક્સમાં 359 અંકનો ઉછાળો, નિફ્ટી 15,700 ને પાર
સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૨.૪૦ પોઇન્ટ વધીને ૧૫,૭૩૭.૭૫ અંક પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ડિવિસ લેબના શેર લીલા નિશાન સાથે બંધ થયા...
સફળતા: ચીની અબજોપતિઓથી આગળ નીકળ્યા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી અને અદાણીની સંપત્તિમાં અનુક્રમે 84 અબજ ડોલર અને 78 અબજ ડોલરનો વધારો થયો છે.
મુકેશ અંબાણીની નેટવર્થ 84 અબજ...