મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઝડપથી વધતા જતા કેસોને કારણે રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ તીવ્ર પ્રમાણમાં પણ વધી રહી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, અમને દિવસમાં 50,000 રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર છે જ્યારે અમને આગામી 10 દિવસ માટે કેન્દ્ર દ્વારા માત્ર 26,000 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. હું આજે કેન્દ્ર સરકારને આ અંગે પત્ર લખીશ અને તેમને વધુ ઇન્જેક્શન ફાળવવા અપીલ કરીશ. કોરોનાની બીજી લહેર દેશમાં ખૂબ જ ઝડપી ગતિએ ફેલાઈ રહી છે અને આરોગ્ય પ્રણાલીને નરવી વાસ્તવિકતા બધા સામે લાવી દીધી છે. જો કોઈ રાજ્ય એવું હોય જે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં દરરોજ 60,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કડક પ્રતિબંધો બાદ પણ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ચેઇન અટકવાની નામ નથી લઇ રહી. કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે 22 એપ્રિલથી લોકડાઉન જેવા કડક નિયમો લાદવાની જાહેરાત કરી છે, જોકે સરકારે તેને સંપૂર્ણ લોકડાઉન ગણાવ્યું નથી પરંતુ તેણે અગાઉના લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાદ્યા છે. કડક પ્રતિબંધો આજે રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે અને ૧ મેના રોજ સવારે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્ય સરકારે ચેઇન તોડવા માટે નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે. તદનુસાર, આવશ્યક અને કટોકટી સિવાયની તમામ પ્રવૃત્તિઓ અને સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ સરકારી કચેરીઓ (રાજ્ય, કેન્દ્ર અથવા સ્થાનિક વહીવટ)માં માત્ર ૧૫ ટકા કર્મચારીઓને જ મંજૂરી આપવામાં આવી છે. આ નિયમ હેઠળ જે ઓફિસો જરૂરી સેવાઓ પૂરી પાડી રહી છે તેમને જ મુક્તિ આપવામાં આવી છે. 13 એપ્રિલ સુધી, કલમ 5 માં રખાયેલ ઓફિસોમાં બ્રેક ધ ચેઇન અભિયાન હેઠળ 15 ટકા અથવા મહત્તમ પાંચ કર્મચારીઓ રહી શકે છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)