Saturday, April 27, 2024

લવ જેહાદ : ગુજરાત સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવતા અઠવાડિયે રજૂ કરશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ગુજરાત સરકાર વર્તમાન બજેટ સત્રમાં લવ જેહાદ (ગુજરાત ધર્મ ફ્રીડમ રિફોર્મ બિલ 2021) સામે કાયદો રજૂ કરશે. આ અંતર્ગત યુવતીને ભોળવીને, ધમકાવીને કે છેતરપિંડી કરીને લગ્ન કરી તેનો ધર્મ પરિવર્તન કરવા બદલ પાંચ વર્ષની સજા અને બે લાખ રૂપિયા દંડની સજા થશે. સગીર યુવતીના કેસમાં સજા સાત વર્ષની અને ત્રણ લાખ રૂપિયા દંડ થશે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટની રચના વર્ષ 2003માં કરવામાં આવી હતી, જેમાં પ્રથમવાર 2006માં સુધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર વર્તમાન બજેટ સત્રમાં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા સુધારણા બિલ 2021 લાવવા જઈ રહી છે. આ અંતર્ગત કોઈ પણ ધર્મની યુવતીને ભોળવી,ડરાવી,ધમકાવી કે છેતરપિંડી કરીને લગ્ન કરી તેનો ધર્મ પરિવર્તન કરવા બાદલ તેને પાંચ વર્ષની સજા અને બે લાખ રૂપિયા દંડની સજા થઈ શકે છે.

જો યુવતી સગીર છે, તો સજા સાત વર્ષની રહેશે અને ત્રણ લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવશે. આ સિવાય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની યુવતીના ધર્મપરિવર્તનના કિસ્સામાં પણ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે. બજેટ સત્ર 1 એપ્રિલ સુધી છે. હોળી બાદ ગુજરાત સરકારનો આ સુધારેલો કાયદો લવ જેહાદ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે આ બજેટ સત્રમાં ગુજરાત સરકાર લવ જેહાદ સામે કડક કાયદો લાવશે. જૂના કાયદાને કડક બનાવીને સમાજમાં આ પ્રકારના નફરતનાં ગુનાઓને કાબૂમાં લેવામાં આવશે. ગત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ લવ જેહાદનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. 2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે. રાજ્યમાં ભાજપ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોના સંકટ હોવા છતાં આ વખતે વિધાનસભા સત્ર પૂર્ણ થશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર