Monday, April 29, 2024

કોવિડવેક્સિન પર જીએસટી દૂર નહીં થઈ શકે, કારણ જણાવતા નિર્મલા સીતારમણે કહી આ મહત્વની વાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોવિડ રસી, દવાઓ અને ઓક્સિજન કંસંટ્રેટર્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દૂર કરવા અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, તેણે દૂર કરવાથી તે જીવન રક્ષક દવાઓ અને માલ ખરીદદારો માટે મોંઘું પડશે. આનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું કે, જીએસટી પાછો ખેંચવાની સાથે તેમના ઉત્પાદકો કાચા/મધ્યવર્તી માલ અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર ચૂકવવામાં આવતા કર માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી શકશે નહીં. હાલ રસી અને વાણિજ્યિક આયાતના ઘરેલું પુરવઠાને 5 ટકાના દરે જીએસટી લાગે છે. કોવિડ દવાઓ અને ઓક્સિજન કંસંટ્રેટર્સ પર ૧૨ ટકાના દરે જીએસટી લાગુ પડે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આવી જ માંગ કરી છે. મમતા બેનર્જીએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોવિડ-19 મહામારી સામે લડવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો અને દવાઓ પરના તમામ કર વેરા અને કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવા વિનંતી કરી હતી.

જીએસટી દૂર કરવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો થશે નહીં.

આ ચીજવસ્તુઓ પર જીએસટીમાંથી મુક્તિની માંગ સાથે ટ્વીટમાં જવાબ આપતાં સીતારમણે કહ્યું હતું કે, “જો રસી પર સંપૂર્ણ પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો રસી ઉત્પાદકોને કાચા માલ પરના કર માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે અને તેઓ ગ્રાહકો, નાગરિકો પાસેથી સંપૂર્ણ ખર્ચ વસૂલ કરશે. પાંચ ટકાના દરે જીએસટી ઉત્પાદકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)નો લાભ આપે છે અને જો આઇટીસી ઊંચું હોય તો રિફંડનો દાવો કરી શકે છે. આથી રસી ઉત્પાદકોને જીએસટીમાંથી મુક્તિ આપવાથી ગ્રાહકોને નુકશાન થશે. ‘ સીતારમણે કહ્યું કે જો ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસીટી)ના રૂપમાં કોઈ પણ માલ પર 100 રૂપિયા મળે છે, તો તેમાંથી અડધા સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી બંનેમાં જાય છે અને સેન્ટ્રલ જીએસટી તરીકે મળેલી રકમનો 41 ટકા હિસ્સો કેન્દ્રને પણ આપવામાં આવે છે. આમ દર 100 રૂપિયામાંથી 70.50 રૂપિયાની રકમ રાજ્યોનો ભાગ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર